Published by : Rana Kajal
- ચાર દિવસ પેહલા અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી હતી
અંકલેશ્વર હાઇવે ઉપર વાલિયા ચોકડી નજીક હત્યા કરાયેલ યુવાનનો મળી આવેલ મૃતદેહનો ભેદ ઉકેલી એક હત્યારાની પોલીસે ધરપકડ કરી છે.
ગત 24 માર્ચે અંકલેશ્વર હાઇવે પર વાલિયા ચોકડી નજીક હવા મહેલ પાસે આવાવરુ જગ્યાએથી અજાણ્યા યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન અને LCB ની ટીમોએ તપાસ હાથ ધરી હતી.

20 વર્ષીય મૃતક મૂળ નંદુરબારનો જ્યંતીલાલ તડવી હોવાનું બહાર આવ્યું હતું. વાલિયા સર્વિસ રોડ ઉપર ડેરી નજીક રહેતો આ યુવાન છેલ્લે 23 માર્ચે સાંજે બે ઈસમો સાથે જોવા મળ્યો હતો.
આસપાસના સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સથી જ્યંતી ભરત ગોઝારીયા અને રાજુ લંગડા સાથે ડેરી નજીક રહેતો હોવાનું બહાર આવ્યું હતું. ત્રણેય 23 માર્ચે પીરામણ ગામે પાલો વેચી ડેરી પાસે રાતે સુવા પરત આવ્યા હતા. જ્યાં રાજુ અને ભરતે જ્યંતી સાથે ઝઘડો કરી તેને કપાળ તેમજ માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
તપાસ ટીમોએ વાલિયા ચોકડી ઝૂંપડપત્તિમાંથી ભરતને ઝડપી પાડ્યો છે. જ્યારે રાજુની શોધખોળ ચાલી રહી છે.