Published by : Rana Kajal
- માર્ચમાં જ કોવિડ 19 ના જિલ્લામાં 42 કેસ નોંધાયા
- 15 દર્દીઓએ કોરોનાને મહાત આપી એક નું મોત
નાણાકીય વર્ષ સાથે માર્ચ એન્ડિંગ પૂર્ણ થયો છે પણ મહામારી કોરોના હજી ગયો નથી. ભરૂચ જિલ્લામાં જ માર્ચ મહિનામાં જ કોરોનાના 42 કેસ નોંધાયા છે.
ભરૂચ જિલ્લામાં વર્ષ 2023 ના પ્રારંભ સાથે માર્ચ મહિનાથી જ H3N2 ની દહેશત વચ્ચે મહામારી કોરોનાએ ફરી ઉથલો માર્યો હતો. ભરૂચ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર બન્નેને લઈ ફરી સક્રિય બન્યું હતું. બે સેન્ટરો ખોલી તપાસ, નિદાન અને સારવાર તેજ બનાવી હતી.
ભરૂચ જિલ્લામાં કોરોનાના 42 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પૈકી 15 લોકો કોરોના મુક્ત થયા હતા. જ્યારે એક દર્દીનું કોરાના