Published by : Vanshika Gor
- કર્ણાટક ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓ જશે…સરકાર સંગઠનના 6 મોટા નેતાઓ સતત કર્ણાટક પ્રવાસમાં રહેશે.
- 25 આગેવાનો પણ જશે કર્ણાટક…15 એપ્રિલ બાદ ભાજપના નેતાઓ જશે કર્ણાટક…કર્ણાટક ચૂંટણી માટે ભાજપના સહ પ્રભારી છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા.
હાલ ભાજપનું ફોકસ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી છે. જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પરચમ લહેરાવ્યો, તેમ કર્ણાટકમાં પણ ભાજપ ભુક્કા બોલાવવા માંગે છે. ગુજરાત ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરી છે. તેથી હવે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડલ અપનાવ્યું છે. ગુજરાતની ચૂંટણીમાં વપરાયેલા વિવિધ સ્લોગનનો કર્ણાટકના શહેરોમાં લગાવાયા છે. એટલુ જ નહિ, ગુજરાતના નેતાઓ કર્ણાટકમાં જઈને ચૂંટણીનો પ્રચાર કરશે. ગુજરાતના ઢગલાબંધ નેતાઓ કર્ણાટક જઈને જોરશોરથી ભાજપની વાહવાહી કરશે.
સરકાર સંગઠનના 6 મોટા નેતાઓ સતત કર્ણાટક પ્રવાસમાં હાજર રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ભાજપના 125 આગેવાનો પણ તેમની સાથે કર્ણાટક જવાના છે. 15 એપ્રિલ બાદ પ્રદેશ ભાજપના નેતાઓનો કર્ણાટક પ્રવાસ ગોઠવાયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કર્ણાટક ચૂંટણી માટે સહપ્રભારી છે. ત્યારે તેમના માથા પર મોટી જવાબદારી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી, ગણપત વસાવા, પ્રવીણ માળી, પ્રદીપસિંહ વાઘેલા, પૂર્ણેશ મોદી સહિતના નેતાઓ પણ કર્ણાટક જશે. ગુજરાત ભાજપના 100થી વધુ કાર્યકર્તાઓ કર્ણાટક જવાની તૈયારી કરી રહ્યાં છે. બુથ પ્રમાણે કાર્યકર્તાઓને કર્ણાટકમાં જવાબદારી સોંપવામાં આવશે