Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઆંજણા ચૌધરી સમાજનું ગૌરવ…. આગેવાન હરિભાઈ ચૌધરીને મુખ્યમંત્રીના હસ્તે "સમાજ રત્ન" એવોર્ડ...

આંજણા ચૌધરી સમાજનું ગૌરવ…. આગેવાન હરિભાઈ ચૌધરીને મુખ્યમંત્રીના હસ્તે “સમાજ રત્ન” એવોર્ડ એનાયત કરાયો…

Published by : Rana Kajal

હાલમાં ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીને “સમાજ રત્ન”એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આંજણા સમાજની મહેનતના પગલે ઉત્તર ગુજરાતની ધરતી દુધ અને ઘીથી મહેકતી થઈ છે તેથી જ આ વિસ્તારની દૂધની ડેરીઓનો પણ વિકાસ થયો છે.એટલું જ નહી શ્વેત ક્રાંતિની સફળતામાં પણ સમાજનો મોટો ફાળો રહયો છે. આ સમાજ જમીન ચીરીને અનાજ પેદા કરે છે. ગાંધીનગર ખાતે આયોજીત આ કાર્યક્રમમા પૂજ્ય મહંત દયારામજી મહારાજ અને સ્વામી સચ્ચિદાનંદ મહારાજે પ્રાસંગિક પ્રવચન કરી આંજણા સમાજના પ્રદાનને બિરદાવ્યું હતું. ભારતના ગુજરાત સહીત જુદા જુદા વિસ્તારોમાંથી આંજણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!