Published by : Vanshika Gor
અતીક અહેમદ અને તેના નાના ભાઈ અશરફની હત્યાનો બદલો લેવાની આતંકી સંગઠન અલકાયદાએ ધમકી આપીને બંને ભાઈને શહીદ કહ્યાં. અલકાયદાની પ્રોપેગન્ડા મીડિયા વિંગ અસ-સાહબે 7 પાનાનું મેગેઝિન બહાર પાડ્યું છે. જેમાં આતંકવાદી સંગઠને મુસ્લિમોને ‘આઝાદ’ કરવાનું આપ્યું છે.કુખ્યાત આતંકવાદી સંગઠનની આ ધમકી બાદ તપાસ એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે.
પટનામાં શુક્રવારની નમાજ બાદ અતીક અહેમદના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દેશમાં અતીક અહેમદની હત્યા બાદ આ ઘટનાએ રાજકીય રંગ લીધો છે. કેટલાક તેને ષડયંત્ર કહી રહ્યા છે તો કેટલાક આ હત્યાકાંડને હિંદુ-મુસ્લિમ એંગલ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં અલકાયદાની ધમકીએ આગમાં ઘી ઉમેર્યું છે.