Published By : Disha PJB
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે રહેતા હિન્દુ યુવક અને જલાલપોરની વિધર્મી યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ પ્રેમ યુવતીના પરિવારને મંજૂર ના હોવાથી તેઓએ તેને મારી નાંખીને દફનાવી દીધી હોવાની આશંકા પ્રેમી યુવકે સુરત રેન્જ આઇ.જી. સહિત જિલ્લા પોલીસવડાને સમક્ષ વ્યક્ત કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કિશોરીની શંકાસ્પદ મોત મામલે નવસારી પોલીસ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં કિશોરીના મૃતદેહને પીએમ અર્થ ખસેડી પેનલ પીએમ કરવાની શરૂઆત કરવામાં આવી છે. કિશોરીના મૂર્તદેહને દફનાવી દેવામાં આવ્યો હતો. પોલીસે પ્રાંત અધિકારીની હાજરીમાં કલથાણના કબ્રસ્તાનમાંથી મૃતદેહને બહાર કાઢ્યો. કિશોરીના પ્રેમીએ પ્રેમિકાનાં પરિવારજનો પર ઓનરકિલિંગનો આક્ષેપ કર્યો હતો. આ મામલે એફ.એસ.એલ રિપોર્ટનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં શંકાસ્પદ મોત થઈ હોવાનું બહાર આવ્યું છે અને ગળા પરના નિશાનની તપાસ કરવામાં આવશે.
નવસારી જલાલપુરના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.આહીરે જણાવ્યું કે, આ ઘટનામાં જે રીતે પરિવાર દ્વારા કિશોરીની લાશ દફનાવવામાં આવી હતી. જેને લઈને કિશોરીના પ્રેમી એ પરિવાર ઉપર આક્ષેપો કર્યા હતા જેને લઈને કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ફોરેન્સિક માટે લાવવામાં આવ્યો છે. અને પીએમ ફોરેન્સિક રિપોર્ટ આપ્યા બાદ જ સાચી હકીકત બહાર આવી શકશે.

વધુમાં સુસાઇડ નોટ પણ મળી આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે, હું મારી મરજીથી આપઘાત કરી રહી છું. એમાં મારાં મમ્મી પપ્પા કોઈનો દોષ નથી. તેમ છતાં પ્રેમી દ્વારા જે પ્રકારે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અનુંસંધાને અમારા દ્વારા એક્સિટીવ મેજિસ્ટ્રેટ અને એસડીએમની હાજરીમાં મૃતદેહને બહાર લાવામાં આવ્યો હતો. કિશોરીનો મૃતદેહ 21 થી 25 તારીખ સુધી કબરમાં હતો. જેથી ચામડીઓ બગડી ગઈ હતી. કિશોરીના મામાના ગામમાં આવેલ કબ્રસ્તાન તેને દફનાવામાં આવી હતી. અને તે કબ્રસ્તાનના મલિક પણ કિશોરીના મામાં જ હતા.આ પેહલા કિશોરીને અબ્રામા દફનાવા માટે ગયા હતા પરંતુ ત્યાં ના પાડી દેવામાં આવી હતી.
આ બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, અમારી હોસ્પિટલમાં ગઈકાલે એક 19 વર્ષીય છોકરીનું મૃતદેહને પેનલ પીએમ આવી હતી.જે મૃતદેહને દફનાવી દેવામાં આવી હતી.જે મૃતદેહને તમામ અધિકારીઓ વચ્ચે કબરમાંથી બહાર લાવામાં આવી હતી.ત્યાંથી મોતનું સાચું કારણ જાણવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ લાવામાં આવી હતી.જેનું પોસમોટમ આજે સાવરે 9 વાગ્યેથી 1:30 વાગ્યાં સુધી ચાલ્યું હતું. આ મૃતદેહનું પેનલ પોસમોટમ કરવામાં આવ્યું છે.જે અમારા ફોરેન્સી અને રેસીડેન્સ ટીમે કર્યું છે.જેમાં મૃતદેહ પર બાહ્ય અને આંતરિક ઈજાઓ મળી આવી નથી. ફક્ત એક જ નિશાન મળી આવ્યું છે. તે દોરીનું નિશાન કે જેના વડે તેણે આપઘાત કર્યો હતો.અને ગળું દબાતા છોકરીનું મોત થયું છે.