Published By : Disha PJB
વધી રહેલી વસ્તી અને ઉદ્યોગોની અસર માનવજીવન ઉપર વર્તાય રહી છે. દરેક પ્રકારના પ્રદૂષણો પૃથ્વીને વિનાશ તરફ દોરી રહ્યા છે. જે અંગેની જાગૃતતા લાવવાની પહેલ સૌપ્રથમ પશ્ચિમી દેશો તરફથી કરવામાં આવી.
પ્રદૂષણ વિશેનો ગ્રંથ ‘ અરેબિક મેડિકલ ટ્રિટિસ ‘ 9મી થી 13મી સદી દરમ્યાન તે સમયના ડોકટરો દ્વારા લખાયો. જેમાં પ્રદૂષણ વિશેના દરેક મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ ‘ ધ ગ્લોબલ એનવાયરમેન્ટ આઉટલુક ‘ (જીઇઓ) મુજબ, સમય પહેલા થતા દર ચારમાંથી એક મૃત્યુ અથવા બીમારી પાછળ પ્રદૂષણ જવાબદાર છે.

અહી આજે આપણે વાત કરીશું ‘ વર્લ્ડ એર ક્વોલિટી 2022’ ના એક એહવાલના અનુસંધાનમાં , જેમાં જણાવ્યા અનુસાર, વિશ્વના સૌથી પ્રદુષિત આબોહવા ધરાવતા 50 શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 35 શહેરો માત્ર ભારત દેશના છે. એમાં પણ ભારતના રાજસ્થાનનું ભિવડી શહેર ઉચ્ચ સ્થાને છે.
‘ યુનાઈટેડ નેસન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક ‘ ના જણાવવા મુજબ, પ્રદૂષણની સૌથી વધુ અસર મહિલાઓ ઉપર થતી હોય છે. ખાસ કરીને , મહિલાઓમાં ફર્ટિલિટી, ગર્ભપાત , પ્રી મેચ્યોર ડિલિવરી , મિસ કેરેજ, અર્લી મોનોપોઝ , અને ગર્ભાશયને લાગતી બીમારીઓ વધુ થાય છે. 1950માં મહિલાઓમાં ફર્ટિલીટીનું જોખમ માત્ર 10% હતું જે હાલના આંકડા મુજબ 80-85% ઉપર પહોચ્યું છે. જેના માટે જવાબદાર પ્રદૂષણ છે.
મહિલાઓની સમસ્યામાં વાયુ પ્રદુષણ મહત્વનો ભાગ ભજવે છે, ઊડતી ધૂળ , ઉદ્યોગોમાંથી છોડાતા ધુમાડા , કેમિકલયુક્ત અગરબત્તીઓ , એર પ્યોરિફાયર આમ અનેક જાતના વાયુ પ્રદૂષણનો શિકાર મહિલાઓના મહત્વના અંગો થાય છે. જેને લીધે ભવિષ્યમાં જન્મદર ઘટવાની શકયતાઓ પણ વર્તાય રહી છે.

પહેલાના સમયમાં મહિલા દીઠ 8-10 બાળકો હોવા સમાન્ય બાબત હતી. જે સમય જતા ઘટવા માંડી અને હાલની પરિસ્થિતિ મુજબ સામાન્યતઃ 2 બાળકોની સંખ્યા જોવા મળે છે. મેગા સિટીઓમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધુ હોવાથી કુદરતી પ્રેગનેંસી કનસિવ નહીં કરી શકતા કપલો IVF નો સહારો લઇ રહ્યા છે.
દેશમાં ફર્ટિલિટી રેટ 12 વર્ષમાં 37% ઘટયો છે જ્યારે છેલ્લા 27 વર્ષના જન્મદરના આંકડા પર નજર કરીએ તો એમાં 32% નો ઘટાડો નોંધાયો છે. આગામી સમયમાં આ ઘટાડો વધવાની શકયતાઓ હાલ આંકી શકાય છે. તેવામાં દરેક મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી બને તેટલું પ્રદૂષણમુક્ત રહેવાની જરૂર છે.