Published By:-Bhavika Sasiya
મની લોન્ડરિંગ અંગે કુખ્યાત એવા સુકેશ ચંદ્ર શેખરે તિહાડ જેલમાંથી દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને ઍક સ્ફોટક પત્ર લખ્યો છે.
સુકેશ ચંદ્ર શેખરે લખેલ આ પત્રમાં એવો દાવો કરવામા આવ્યો છે કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના બંગલામાં જે કંઇ ફર્નિચર થી ક્રોકરી સુધીની ચીજ વસ્તુઓ છે તે તમામની ખરીદી સુકેશે કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં એમ પણ જણાવ્યું છે કે આ ચીજવસ્તુઓની પસંદગી સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલે કરી હતી. સાથેજ સુકેશે આ અંગેની તસ્વીરો તેણે વિવિઘ માધ્યમો દ્વારા સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલને મોકલેલ છે આ સ્ફોટક પત્રના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડે તેવી સંભાવના છે