Published By:-Bhavika Sasiya
આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર વન ડે વર્લ્ડ કપ અંગે પાકિસ્તાને લેખિતમાં ગેરંટીની માંગણી કરી છે.
પાકિસ્તાનની ગેરંટીની માંગણીના પ્રકરણ અંગે વિગતે જોતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ શેઠીએ જણાવ્યુ છે કે વર્ષ 2023 ના અંતમા યોજાનાર વન ડે વર્લ્ડ કપ પાકિસ્તાન રમે તે પહેલાં બીસીસીઆઇના અધ્યક્ષ જય શાહ પાસે લેખિતમાં ગેરંટી માંગશે કે પાકિસ્તાનમાં વર્ષ 2025 યોજાનાર વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારત ભાગ લેશે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ શેઠીએ દુબઈ ની તેમની મુલાકાત દરમિયાન આ બાબતે લોબિંગ કરશે એમ પણ જણાવ્યું હતું. ટૂંકમાં જ્યા સુઘી બીસીસીઆઇના પ્રમુખ જય શાહ લેખીત ગેરંટી નહી આપે કે ભારત વર્ષ 2025 માં યોજાનાર પાકિસ્તાનમાં રમવા આવશે ત્યાં સુધી પાકિસ્તાન ભારતમાં રમવા આવશે નહી.