Published by : Rana Kajal
મૂળ અમદાવાદના એવો યુવક મુંબઇમાં રહી અભ્યાસ કરતો હતો. તેવામાં અગમ્ય કારણોસર મુંબઈમાં આ વિદ્યાર્થીએ આત્મ હત્યા કરી હતી. પોલીસ તપાસ દરમિયાન સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમા નામ જોગ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ મુંબઇ હાઇકોર્ટે એવું તારણ કાઢ્યું હતું કે સ્યુસાઈડ નોટમાં આરોપ માત્રથી આરોપી દોષિત ન ઠરે..
આ વર્ષની 12મી ફેબ્રુઆરીના રોજ મુંબઇ ખાતે મૂળ અમદાવાદના દર્શન સોલંકીએ આત્મ હત્યા કરી હતી.આ બનાવમાં સ્યુંસાઈડ નોટને આધાર ગણી દર્શન સોલંકીના સહ વિદ્યાર્થી અરમાન ખત્રીની અટક કરવામા આવી હતી. જેની જામીન અરજી ની સુનાવણી સમયે મુંબઇ હાઇકોર્ટે એવું તારણ કાઢ્યું હતું કે માત્ર સ્યું સાઈડ નોટમાં આરોપ માત્ર થી આરોપી દોષીત ન ઠરે તેથી અરમાન ખત્રીની જામીન અરજી મંજુર કરી હતી.