Published by : Rana Kajal
જોષીમઠના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે જોકે જોશીમઠના કેટલાક મકાનોમાં તિરાડો પડી ત્યારથી જ સરકારે મકાનોનું સર્વેક્ષણ કરાવ્યું હતું. અને કયા મકાનો જોખમી છે અને કયા મકાનો ઓછા જોખમી છે તેમજ કયા મકાનો જોખમી નથી તેનું વર્ગીકરણ કર્યું હતું. જોખમી મકાનો માથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. પરંતુ તેમને વળતર ચુકવવામાં આવ્યું ન હતું. તેથી લોકોએ વિવિઘ દેખાવો કર્યા હતા. જેમા સમાધાન સધાયું હતું પરંતું સમાધાનની શરતો મુજબ પણ ઉત્તરાખંડ સરકારે કામગીરી ન કરતા લોકોમાં સરકાર અંગે રોષની લાગણી ફેલાઇ ગઇ છે. તેમજ સરકારે સર્વે કરી જે મકાનોને સેફ ઝોનમાં મૂક્યા હતા તે ઝોનમાં આવેલ મકાનોમાં પણ તિરાડ પડતા લોકો ચિંતામા ગરકાવ થઈ ગયા છે.




