Published by : Rana Kajal
હજી કોર્ટ કાર્યવાહી ચાલુ… તમામ આરોપીઓ જેલની બહાર… ફાયર સેફ્ટી પ્રમાણ પત્ર અંગે ભરૂચ જિલ્લામાં અપુરતી સજાગતા… સુરતના તક્ષશિલા ટ્યુશન ક્લાસમાં અગ્નિ તાંડવ થતા 22 નિર્દોષ બાળકોના મોત નીપજ્યા હતા. આ કરુણ બનાવને ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં હજી કાનૂની કાર્યવાહી પુર્ણ ન થતાં 14 આરોપીઓ પૈકી કોઇને પણ સજા થઈ નથી. અત્રે નોંધવુ રહ્યું કે તક્ષશિલા અગ્નિકાંડ બાદ ભરૂચ જિલ્લા સહીત સમગ્ર રાજયમાં અગ્નિ હોનારતો માટે સજાગતા આવી ગઇ હતી. તેમજ ફાયર અંગેનાં પ્રમાણ પત્ર મેળવવા અંગેનાં નિયમોના કડક અમલના પાલન કરાવવાની શરુઆત કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સમય જતાં હવે ફરી એક વાર ફાયર સેફ્ટી અંગેનાં નિયમોના પાલન અંગે ભરૂચ જિલ્લા સહીત રાજ્યમા શિથિલતા આવી ગઇ છે… સુરત તક્ષશિલા કાંડને 4 વર્ષ પુર્ણ થયા છે.આ સમય દરમીયાન ત્રણ જજ બદલાયા છે તે સાથે હજી 258 સાક્ષી પૈકી માત્ર 93 ની ચકાસણી થઈ શકી છે.આ બનાવના 14 આરોપીઓ પર ગુનો પુરવાર થયો નથી.




