Published by : Rana Kajal
- 90 ટકા હિંદુઓ સંઘની વિરૂદ્ધમાં: કોંગ્રેસ…
દેશનાં કેરળના મંદિરોમાં આર એસ એસની શાખા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . આદેશ દ્વારા મંદિર પરિસરમાં આર એસ એસનો કોઇપણ કાર્યક્ર્મ ન યોજવા આદેશ આપવામાં આવ્યો છે. એટલુજ નહી પરંતું અમલદારોને આ આદેશના કડક પાલન અંગે પણ જણાવવામાં આવ્યું છે..
કેરળના ત્રાવણકોર દેવાસમ બોર્ડે ઍક પરિપત્ર બહાર પાડી સમગ્ર કેરળના મંદિર પરિસરમાં આર એસ એસની શાખા યોજી શકાશે નહી તેમજ અન્ય કોઇ કાર્યક્રમનું આયોજન પણ કરી શકાશે નહી. સામુહિક ડ્રીલ માટે પણ મંજૂરી આપવામાં આવશે નહિ અત્રે ઉલ્લખનીય બાબત એ પણ છે કે અગાઉ પણ આવા પરિપત્રો દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. પરંતું તેનો કડક અમલ થઈ શક્યો ન હતો. જે અંગે અમલદારોના ઢીલા વલણને જવાબદાર ગણવામાં આવે છે. જૉકે આ વખતે જે પરિપત્ર બહાર પાડવામા આવેલ છે. તે પરિપત્રનો કડક અમલ કરવા અમલદારોને સુચના આપવામાં આવી છે.
આ સાથે કોંગ્રેસે ખુબ ચોંકાવનારી બાબત જાહેર કરતા જણાવ્યુ છે કે હાલનાં સંજોગોમાં 90 ટકા હિંદુઓ સંઘની વિરૂધ્ધમાં છે