Published By:-Bhavika Sasiya
- પરંતું સીધા વિદેશી રોકાણમાં થયો ઘટાડો નોંધાયો..
- હાલના સમયમાં આંતર રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માન ભલે વધ્યું હોય તેમ છતા સીધા વિદેશી રોકાણ નોધપાત્ર ઘટી ગયું છે.
આ બાબતે વધુમાં જોતા હાલના દિવસોમાં વિશ્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માન સન્માન પ્રાપ્ત થઈ રહ્યું છે. તેમ છતાં કડવી વાસ્તવિકતા એ છે કે સીધા વિદેશી રોકાણમાં નોધપાત્ર ઘટાડો થયો છે. આવા રોકાણમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમકે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ઘટાડો થયો છે. જેમકે વર્ષ 21-22માં સીધું વિદેશી રોકાણ 84.8 બિલિયન ડોલર હતું તે તા 31માર્ચ 2023ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષમા 71 બિલિયન ડોલર થઈ ગયું છે આમ એકજ વર્ષમાં ભારતમાં થતા સીધા વિદેશી રોકાણમાં 16 ટકાથી વધુનો ઘટાડો થયો છે..