Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarવાગરાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત પાણી પીવાથી 25 થી વધુ ઉંટના મોત મામલે...

વાગરાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત પાણી પીવાથી 25 થી વધુ ઉંટના મોત મામલે ONGC ને ફટકારાયો રૂ. 50 લાખનો દંડ…

Published By : Patel Shital

  • ગાંધીનગર GPCB એ પર્યાવરણ પ્રોટેક્શન એક્ટ હેઠળ નોટિસ પણ ફટકારી…
  • ગંધારમાં કંપનીની ક્રૂડ ઓઇલ પાઇપલાઇન લિકેજના કારણે પર્યાવરણને પણ થયેલું નુકશાન…
  • ઊંટોના મોત મામલે હજી પોસ્ટમોર્ટમ અને FSL નો રિપોર્ટ આવવાનો બાકી…

વાગરાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત પાણી પીવાથી 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGC ને રૂ. 50 લાખ રૂપિયાનો દંડ ફટકાવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો, એક બાદ એક અચાનક ટપો ટપ  ઊંટ એ દમ તોડી દેતા પશુપાલકને લાખોનું નુકશાન થયું હતું.

ભરૂચના વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત પાણીના પગલે 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. તેલના દરિયા ઉપર તરત સૂકાભંઠ વિસ્તાર સમાન ભરૂચ જિલ્લામાં ONGC ની પાઇપલાઇનમાં લિકેજના કારણે ક્રૂડઓઇલ મિશ્રિત પાણી કચ્છીપુરા નજીક એકત્ર થયું હતું  જે પીવાથી ઊંટના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ મામલે સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવા ઊંટના પોસ્ટમોટર્મ અને FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, લિકેજના કારણે ઓઈલનું નાનું તળાવ બનવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને ગાંધીનગર GPCB એ રૂ. 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!