Published By: Parul Patel
નવા સત્રથી સ્કૂલના બાળકોને માર્ગ સલામતીના પાઠ શિખડાવવામાં આવાશે. જે માટે ભરૂચ થી સુરતના રસ્તાને અન્ય રસ્તાઓ સાથે મોડલ રોડ તરીકે વિકસાવવામાં આવશે.
તાજેતરમાં માર્ગ સલામતી પરિષદની બેઠક રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી હતી. આ પ્રસંગે મંત્રીઓ દાવો કર્યો હતો કે છેલ્લાં 10 વર્ષોમાં વાહનો વધ્યા હોવા છતાં તેમજ ટ્રાફીક વધ્યો હોવા છતા માર્ગ અકસ્માતના બનાવોમાં 44 ટકા ઘટાડો નોંધાયો હતો. તે સાથે મંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે હવે નવા સત્રથી સ્કૂલના બાળકોને માર્ગ સલામતીના પાઠ શીખડાવવામાં આવશે. સાથેજ રાજયના સરખેજથી ગાંધીનગર, ભરૂચ થી સુરત તથા અમદાવાદ થી રાજકોટ સુધીના રસ્તાને મોડલ રસ્તા તરીકે વિકસાવવામાં આવશે એમ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ…