Published by : Rana Kajal
- વરસાદી સીઝનમાં પાણી ધસી આવવાની શક્યતાને લઈ નદીઓ અને જળાશયોથી દૂર રહેવા આગાહ કરાયા
- પાલતું પ્રાણીઓ અને લોકોએ દૂર રહેવા સૂચના જારી
આગામી ચોમાસાની મૌસમને લઈ નર્મદા જળ સંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગે નર્મદા, કરજણ સહિત તમામ નદીઓ, ડેમ અને ચેકડમથી દુર રહેવા લોકોને ચેતવણી આપી છે.
નર્મદા-કરજણ નદીઓ સહિત કોતર, ડેમ અને ચેકડેમથી આગામી વરસાદી સીઝનમાં સલામત અંતરે રહેવા લોકોને સૂચના જારી કરાઈ છે. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગની સૂચના મુજબ નર્મદા જિલ્લાના રાજપીપળા કાર્યપાલક ઇજનેર તરફથી જાહેર જનતા જોગ ચેતવણી આપવામાં આવે છે.

વર્ષ 2023 ચોમાસા દરમિયાન કરજણ અને નર્મદા નદી ઉપરાંત તમામ નદીઓ તથા કોતરો, કાંસ તથા તે ઉપરના ચેકડેમોમાં પાણી ઘસી આવવાની તમામ શક્યતાઓ રહેલી છે. નદીઓ, જળાશયો અને તેના પટ વિસ્તાર તથા બાંધકામોના ઉપરવાસ-નિચાણવાળા વિસ્તારથી સલામત અંતરે દુર રહેવા તેમજ લોકોને તેમના માલિકીના પાલતુ પ્રાણીઓને દુર રાખવા સુચના આપવામાં આવી છે.
વધુમાં આવા બાંધકામો ઉપરથી અવર-જવર કરવી નહીં તથા નદીના પટમાં પાકોનું વાવેતર ન કરવા જણાવવામાં આવ્યુ છે. આ સુચનાનું પાલન ન કરનારને જે કાંઇ નુકશાન થશે તેની જવાબદારી તંત્રની રહેશે નહીં.