Published By:-Bhavika Sasiya
- રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાંથી ઐતીહાસિક અવશેષો ઘણીવાર મળી આવે છે તાજેતરમાં દક્ષિણ દિલ્હીમાં 13 મી સદીની ટનલ મળી આવી છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI દ્વારા દિલ્હીના સિરી કિલ્લાની નજીકનાં માર્ગનું ખોદકામ કરવામાં આવ્યું હતું જેમાં આ ટનલ મળી આવી છે જૉકે હજી પણ ખોદકામ ચાલુજ છે અને વધુ અવશેષો મળી આવે તેવી સંભાવના જણાઈ રહીં છે ટનલની સાથે સાથે ચોક્કસ માટીના બાંધકામના અવશેષો પણ મળી આવ્યા છે. એમ મનાઈ રહ્યું છે કે આ અવશેષો 13 મી સદીના છે. ટનલ અને માટીના અવશેષોનુ બારીકાઇ થી નિરીક્ષણ કરવામા આવી રહ્યું છે.
એટલુજ નહી પરંતું હાલમાં મળી આગેલ અવશેષો અને અગાઉ આજુબાજુના વિસ્તારોમાંથી મળી આવેલ અવશેષો વચ્ચે શું સંબંધ છે તે અંગે પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.