Published By : Parul Patel
- રાજ્યમાં શ્વાસ અદ્ધર કરતું બિપોરજોય વાવાઝોડું…
- શાળા-કોલેજોમા રજા જાહેર.
- દરીયા કીનારા વિસ્તારોમાં 144 કલમ લાગુ…
“બીપોર જોય” વાવાઝોડું નામની કુદરતી આફત તા: 12 જૂનના બપોરે ત્રણ વાગે અત્યંત ઝડપથી આવી રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યનું તંત્ર સંભવિત પરિસ્થિતિ અંગે તેમજ રાહત અને બચાવની કામગિરી અંગે આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ગુજરાત પર કુદરતી આફત સામે રાજ્યનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે. સૌરાષ્ટ્રનાં બંદરો પર 9 અને 10 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે, તે સાથે SDRF-NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. કેટલાક દિવસો અગાઉ જ્યાં શાળા પ્રવેશોત્સવની તૈયારી ચાલી રહી હતી ત્યાં વાવાઝોડાના પગલે કેટલાક જિલ્લાઓમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરવામા આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું અતિ ગંભીરરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવામાં સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર ખડે પગે છે અને ઓછામાં ઓછો નુકસાન પહોંચે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દરિયાકિનારે 10 નંબર સુધીના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સાથે જ મોરબી, પોરબંદરમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દ્વારકા, કચ્છ, દમણમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. સાથે જ SDRF-NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. ગુજરાતના દરિયાકાંઠે લોકોના શ્વાસ અદ્ધર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ તંત્ર પણ આ આફત સામે લોકોને સચેત કરી તકેદારીના પગલા લઇ રહ્યું છે.
ગુજરાત પર આફત સામે તંત્રની તૈયારીઓ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રનાં બંદરો પર 9 અને 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં દરિયો તોફાની બન્યો છે. SDRF-NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે. કચ્છમાં 3 દિવસ શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.

દ્વારકા દરિયા કિનારાના વિસ્તારમાં એલર્ટ સિગ્નલ છે. 12 જૂનથી 16 જૂન સુધી કલમ 144 લાગુ રહેશે. જામનગરનાં દરિયા કિનારે 144 લાગુ રહેશે. દરિયા કિનારાના વિસ્તારમાં એલર્ટ છે. કચ્છ અને દમણના દરિયા કિનારે કલમ 144 લાગુ કરાઇ છે.