Published by : Rana Kajal
- અગિયાર આદિવાસી જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા
નેત્રંગ તાલુકો બન્યા પછી પેહલી વાર આદિવાસી સમૂહ લગ્ન યોજાયો હતો, સમૂહ લગ્નમાં 11 નવદંપતી ને હિન્દુ રીત રિવાજ રીતે વિધિ કરી નવા જીવનની શરૂવાત કરાવવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકાની એક આદિવાસી વિસ્તાર તરીકે પહેલેથી જ ગણના કરવામાં આવે છે, ત્યારે ગત રોજ નેત્રંગ ખાતે પહેલો આદિવાસી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ સમાજના તથા વ્યકિતગત ઉત્થાનનો હતો.
કુટુંબમાં એક લગ્ન કર્યા પછી જીવીએ ત્યાં સુધી લગ્નના દેવામાં જીંદગી જતી રહેતી હોય છે, જેથી સમાજ વધુ પડતો નબળો ન બને અને માં-બાપ વગરની છોકરીઓ રઝળી ન પડે તે માટેનું આ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ નેત્રંગન સરપંચ હરેન્દ્ર દેશમુખ સહિત આગેવાનો ઊપસ્થિત રહી નવદંપતીને આશિર્વાદ આપ્યા હતા.





