Published by: Rana kajal
- કુંભ મેળા માટે રેલવે તૈયાર, 800થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવાનું આયોજન, 15 કરોડ શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડે તેવી ધારણા…..
કુંભ મેળાને લઈને રેલ્વેની તૈયારીઓ હમણાંથી જ તેજ થઈ ગઈ છે. રેલવેએ શ્રદ્ધાળુઓને લાવવા અને લઈ જવા માટે વિશેષ ટ્રેનો દોડાવવાની પણ યોજના બનાવી છે. દેશના ખૂણે-ખૂણેથી મુસાફરોને કુંભ મેળામાં લઈ જવા માટે 800થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. કુંભ માટે 800થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં કંટ્રોલ ઓફિસનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કુંભ મેળાની વ્યવસ્થા અંગે રેલવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રેલ્વે મંત્રીએ કહ્યું કે જાન્યુઆરી 2025ના 6 મુખ્ય સ્નાન દિવસ માટે 800થી વધુ મેળા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. 15 કરોડથી વધુ લોકો મુલાકાત લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.કુંભમેળા 2025માં 15 કરોડથી વધુ યાત્રાળુઓ આવે તેવી અપેક્ષા છે મુસાફરોની સુવિધાઓ સહિત વિવિધ કામો માટે રૂ. 837 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. યાત્રાળુઓના ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે NCR, NER અને NRના કુલ નવ સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે.ટ્રેનોની અવરજવરની સલામતી અંગે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે રેલવે મંત્રીએ રેલવે કંટ્રોલ ઓફિસનું પણ નિરીક્ષણ કર્યું હતું અને કંટ્રોલ ઓફિસના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનની અવરજવરની સલામતી સુનિશ્ચિત કરવા સૂચના આપી અને કહ્યું કે તેની સાથે બાંધછોડ ન કરવી જોઈએ. સાથે જ જાળવણી, સ્વચ્છતા અને અન્ય સમસ્યાઓને યોગ્ય રાખવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી….