Published by: Rana kajal
- આતંકવાદીઓએ યુગાન્ડામાં શાળા પર હુમલો કરતા મોટી સંખ્યામા વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યા હતા….
આફ્રિકન દેશ યુગાન્ડામાં એક શાળા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઘટનાસ્થળેથી 41 મૃતદેહો મળી આવ્યા છે. ઘાતકી હુમલામાં જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં 38 વિદ્યાર્થીઓના છે. યુગાન્ડાની સરહદ પર આવેલા મપોંડવે શહેરમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે એલાઈડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF) એ શુક્રવારે એમપોંડવે શહેરમાં લુબિરિહા માધ્યમિક શાળા પર હુમલો કર્યો હતો ADF પડોશી કોંગોના પૂર્વ ભાગમાં તેના બેઝ પરથી વર્ષોથી ઍક પછી ઍક હુમલાઓ કરી રહ્યું છે. માર્યા ગયેલાઓમાં 38 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એક ગાર્ડ અને સ્થાનિક સમુદાયના બે લોકોના પણ મોત થયા છે. વાસ્તવમાં, આ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓના સંબંધ ઈસ્લામિક સ્ટેટ સાથે છે. તે જ સમયે, અધિકારીઓએ જણાવ્યુ કે આતંકવાદીઓએ કોંગો બોર્ડર પાસે એક શાળા પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા. જૉકે પોલીસે હુમલા માટે સીધો જ એલાઈડ ડેમોક્રેટિક ફોર્સ (ADF)ને જવાબદાર ઠેરવ્યો છે. તેમનું કહેવું છે કે ADF લડવૈયાઓએ પણ સ્કૂલ પર હુમલો કર્યો હતો. જે શાળા પર હુમલો થયો તે યુગાન્ડાના કાસેસ જિલ્લામાં છે, જે કોંગો સરહદથી 2 કિમી દૂર સ્થિત છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હોસ્ટેલમાં આગ લગાડવામાં આવી હતી અને ખાદ્યપદાર્થોની દુકાનમાં લૂંટફાટ કરવામાં આવી હતી. તેમાં અત્યાર સુધીમાં 25 મૃતદેહો મળી આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે એ પણ જણાવ્યું કે આ હુમલામાં આઠ લોકોની હાલત ગંભીર છે. એક સરકારી અધિકારી અને સૈન્ય પ્રવક્તાનું કહેવું છે કે ઘણા લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે તમામ પીડિત વિદ્યાર્થીઓ છે કે નહીં.PM Modi US Visit: PM મોદીના અમેરિકી પ્રવાસને લઇને અમેરિકી સાંસદોમાં ઉત્સાહ, કહ્યું- અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ