Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchપત્રકાર જગતના તથા સમાજના હિતો માટે સક્રિયપૂર્વક કાર્ય કરતુ રાષ્ટ્રનું એક માત્ર...

પત્રકાર જગતના તથા સમાજના હિતો માટે સક્રિયપૂર્વક કાર્ય કરતુ રાષ્ટ્રનું એક માત્ર સંગઠન…ભારતીય પત્રકાર સંઘ (એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટ (AIJ))…ભરૂચ જિલ્લાની પાંખ દ્વારા પત્રકાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો…

Published By : Parul Patel

આજરોજ તા. 21 જૂન, 2023 ને બુધવારની સવારે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવનમાં, “નિઃશંક પત્રકાર સન્માન સમારોહ” તેમજ “ભરૂચ જીલ્લા પત્રકાર સંગઠન નિયુક્તિ સમારોહ” યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી વિક્રમ સેન – રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય પત્રકાર સંઘ (AIJ), શ્રી નરેશભાઈ ઠક્કર – ફાઉન્ડર ઓફ નર્મદા ચેનલ (ડિરેક્ટર), એડિટર, વરિષ્ઠ પત્રકાર અને શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા – ધારા સભ્યશ્રી, વાઘોડિયા, વડોદરા, ઉપસ્થિત રહ્યા હતા.

આ પત્રકાર સન્માન સમારોહમાં સંત પ. પૂ. સ્વામી શ્રી મુક્તાનંદ, ને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી સહીત ઘણા મહાનુભાવોએ હાજરી હાજરી આપી હતી.

સમારોહમાં સંગઠનના વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. શ્રી વિક્રમ સેન અને શ્રી નરેશ ઠક્કરે વ્યક્તવ્ય આપ્યું. શ્રી નરેશ ઠક્કરે, એમના વ્યક્તવ્યમાં જણાવ્યું, કે પત્રકારોમાં એકતા હોવી જરૂરી છે, ભિન્ન વિચારો અને ઈચ્છાઓને લીધે કદાચ ના હોય શકે. પોતે પત્રકારત્વ ન કર્યું હોવા છતાં તેમણે 10 થી 15 સારા પત્રકારોને ગુજરાતની મોટી ચેનલોમાં સ્થાન અપાવ્યું છે. આજે તે પોતે 30 વર્ષથી પત્રકારત્વ નિભાવે છે. કહે છે, શીખવાનું છે અને શીખતાં શીખતાં જ બધું આવડ્યું. કવોલીફિકેશન હોવું જરુરી નથી, શીખવાની ભાવના હોવી જરૂરી છે. આ લોકશાહીમાં સૌથી મોટી, મજબૂત ચોથી જાગીર એટલે કે, પત્રકાર છે. પત્રકારત્વને વ્યવસાય તરીકે નહિ, સેવા તરીકે સ્વીકારવાનું સૂચન કર્યું હતું. પ્રજા સર્વસ્વ છે, પત્રકાર ધર્મ અને કર્મ બંને પ્રજા માટે કરવાનું છે. સ્વયં એક સંસ્થા બનો…તાકાત બનો…આપોઆપ “કારવાં બન જાયેગા”. ધાર્યું પરિણામ મેળવા માટે વિભાજીત થવાની જરૂર નથી. કામ, દામ અને નામ જરૂર મળશે.

ભરૂચ જિલ્લાના એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટના શ્રી અકબરભાઇ દિવાન ભરૂચ જિલ્લા પ્રભારી, શ્રી મુકેશભાઇ વસાવા ભરૂચ જીલ્લા ઉપપ્રમુખ, શ્રી વિરલ એન. ગોહિલ ભરૂચ જીલ્લા પ્રમુખ, શ્રી શબીરભાઇ મુસા પટેલ ભરૂચ જીલ્લા ઉપપ્રમુખ, શ્રી ગૌરવ પટેલ ભરૂચ જિલ્લા મહામંત્રી, અને શ્રી સાબિર સૈયદ મંત્રી. આ સમારોહના આયોજક હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!