Published by : Rana Kajal
સામાન્ય રીતે મંદિરોમાં જઈ પરણિત મહિલાઓ પતિના લાંબા આયુષ્યની કામના કરતી હોય છે. પરંતું ઍક એવું મંદિર પણ છે જ્યાં મહિલા પ્રવેશ કરે તો તે વીધવા થઈ જાય છે. તેથી જ આ મંદિરમાં મહિલાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે… કુરુક્ષેત્ર પોતાના ધાર્મિક ઇતિહાસ અને મહત્વ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહીંની ધરતી પર મહાભારતનું યુદ્ધ થયું હતું અને ભગવાન શ્રીકૃષ્ણએ અર્જૂનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ધર્મનગરી કુરુક્ષેત્રના પિહોવામાં સ્થિત સરસ્વતી તીર્થ પર એક એવું મંદિર છે જ્યાં સદીઓથી મહિલાઓના પ્રવેશ પર પાબંધી છે.
કુરુક્ષેત્રથી માત્ર 20 કિલોમીટર દૂર સ્થિત પિહોવાના સરસ્વતી તીર્થ સ્થિત ભગવાન મહાદેવના પુત્ર કાર્તિકેયનું મંદિર આવેલું છે. ઍવુ માનવામાં આવે છે કે, જો કોઇ પણ મહિલા ગર્ભ ગૃહના દર્શન કરવા જાય છે તો તે મહિલા સાત જન્મો સુધી વિધવા રહે છે. તેના માટે મંદિરમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મંદિરના પરિસરમાં મહિલાઓ માટે દિવાલ પર સૂચના લખવામાં આવી છે કે તે ગર્ભ ગૃહની અંદર નજર પણ ન કરે. તેના પગલે મંદિરમાં લાઇટના બદલે ફક્ત જ્યોતિ જ પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત મંદિરમાં પ્રવેશ કરવા પર મહંત પર મહિલાના વિધવા થવાનું ઉદાહરણ આપવા લાગે છે.
જેના કારણે મહિલાઓ મંદિરની બહારથી જ દર્શન કરીને કાર્તિકેય મહારાજનો આશીર્વાદ લે છે. મંદિરમાં ફક્ત પરિણિતાઓના જ પ્રવેશ પર પ્રતિબંધ નથી. પરંતુ મંદિરની અંદર નવજાત બાળકીને પણ લાવવાની પરવાનગી નથી.આ મંદિરના મહંતે જણાવ્યા અનુસાર, જ્યારે કાર્તિકેયે મા પાર્વતિથી ક્રોધિત થઇને પોતાના શરીરનું માંસ અને રક્ત આગને સમર્પિત કરી દીધું હતું. ત્યારે ભગવાન શિવે કાર્તિકેયને પિહોવા તીર્થ પર જવાનો આદેશ આપ્યો હતો. ત્યારે કાર્તિકેયના ગરમ શરીરને શીતળતા આપવા માટે ઋષિ મુનીઓએ સરસિયાનું તેલ તેમના પર ચડાવ્યું હતું. શાંત થયા બાદ કાર્તિકેય આ સ્થાન પર પિંડી રૂપમાં બિરાજમાન થયા હતા. ત્યારથી આજ સુધી કાર્તિકેય મહારાજની પિંડી પર સરસિયાનું તેલ ચડાવવાની પરંપરા ચાલતી આવી રહી છે.