Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateત્રણ લાખ કે તેથી વધારે વસ્તી ધરાવતા 13 શહેરોની નગરપાલિકાને મહાનગપાલિકાનો દરજ્જો...

ત્રણ લાખ કે તેથી વધારે વસ્તી ધરાવતા 13 શહેરોની નગરપાલિકાને મહાનગપાલિકાનો દરજ્જો આપવા વિચારણા…

Published by : Rana Kajal

રાજ્ય સરકાર દ્વારા ત્રણ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા નગરોની નગરપાલિકાને મહાનગરપાલીકાનો દરજ્જો આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જૉકે હાલમાં મળેલ કમિટી ઑફ સેક્રેટરીઝ ની બેઠક માં નવસારી, વાપી, ગાંધીધામ, સુરેન્દ્ર નગર અને મોરબી જેવા પાંચ નગરપાલિકાઓ ને અપગ્રેડ કરવા અંગે એટલેકે મહા નગરપાલીકા નો દરજ્જો આપવા અંગે શકયતા દર્શી એહવાલ તૈયાર કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. બેઠકમાં ઍવી પણ ચર્ચા કરવામા આવી કે વર્ષ 2021માં વસ્તી ગણતરી થઈ શકી નથી પરંતું તેના કારણે નગરપાલીકાઓને અપગ્રેડ કરવા અંગેનો પ્રોજેક્ટ પડતો મૂકી શકાય નહી તેથી આ બાબતે સઘન કાર્યવાહી કરવામા આવી રહીં છે એટલુજ નહિ પરંતુ જે નગરોમાં ક્રાઇટેરિયા મુજબની વસ્તી ન હોય તેવા નગરોની આજુબાજુના નગરોનો સમાવેશ કરીને અથવાતો ટ્વીન સિટી પ્રોજેકટ આગળ વધારીને મહાનગર પાલિકા બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે આવા સંજોગોમાં જેતે નગરોના રહેવાસીઓની સુવિધાઓ માં વધારો થશે તો સાથે ટેકસમાં પણ વધારો થશે… જે પાંચ નગરો અંગે શકયતા અંગેનો એહવાલ તૈયાર કરવા ચર્ચા કરવામા આવી છે તે ઉપરાંત પાલનપુર, મહેસાણા, નડીયાદ, આણંદ, વલસાડ, પોરબંદર, અમરેલી અને ભરૂચ નગરનો સમાવેશ થાય છે. ઍવી અટકળો કરાઇ રહી છે કે આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ બાબત અંગે નક્કર નિર્ણય લેવામાં આવશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!