Published By:-Bhavika Sasiya
- સાગબારાના ગામના મહેમાન બની સમસ્યાઓ જાણી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના અંતરિયાળ બોર્ડર વિલેજ જાલવી ગામ ખાતે રાત્રિરોકાણ કર્યા બાદ ગુરૂવારે સવારે રાત્રિ નિવાસ સ્થળેથી સીધા જ ગામની આંગણવાડીમાં પગપાળા પહોંચી ગયા હતા.

નાના ભૂલકાંઓ સાથે વાર્તાલાપ કરી આંગણવાડીનું નિરિક્ષણ કર્યું હતુ. આંગણવાડીની મુલાકાત બાદ મુખ્યમંત્રી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરિક્ષણ કરી બાળકોના કમ્પ્યુટર અભ્યાસને પણ નજરે નિહાળ્યો હતો.

મુખ્યમંત્રીએ નવાગામ બોર્ડર વિલેજ પર મુલાકાત કરીને તંત્ર સાથે તથા ગામના અગ્રણીઓ સાથે સમૂહ તસવીર લીધી હતી. બોર્ડર વિલેજ જાવલીની જમાવટ મુખ્યમંત્રીશ્રીના માનસપટલ પર યાદગાર બની રહી હતી. ગ્રામજનોએ તેઓની સમસ્યા પણ મુખ્યમંત્રીને જણાવી હતી.