Published By:- Bhavika Sasiya
- કર્મભૂમિનું ઋણ ચુકવવા ઓરિસ્સાના ડો. ઉદય શંકર શેઠીએ તાપીના આદિવાસી ગામ કોયલીબેલ ને દત્તક લીધુ….
- જન્મભૂમિ અને કર્મભૂમિને કોઇ ક્યારેય ભૂલી શકતું નથી. ભરૂચ જિલ્લાની શાળાઓ અને હોસ્પિટલોમાં એવા અનેક દાન આવી રહ્યા છે જેમણે જીવનમાં ભરૂચ જિલ્લામાં કર્મ કર્યુ હોય….
તયારે સુરત લાખો લોકોની કર્મભૂમિ બની ગઈ છે. ત્યારે આવા જ એક ઓરિસ્સાના ડોક્ટર ઉદય શંકર શેઠી પણ સુરત આવ્યા હતા. કર્મભૂમિનો આભાર માનવા માટે તેઓએ તાપી જિલ્લાના એક આદિવાસી ગામને દત્તક લીધુ છે. આ ગામને તેઓ સ્માર્ટ વિલેજ બનાવવા માંગે છે.એટલું જ નહીં ગામના જે યુવાનો છે તે રાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં પોતાના ગામનુ નામ રોશન કરે આ હેતુથી પણ અનેક કાર્યો કરી રહ્યા છે. ઉદય શેઠી જ્યારે પણ પોતાના દત્તક લીધેલા ગામમાં જાય છે ત્યારે તેમનું આદિવાસી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવતું હોય છે.
વધુ વિગતે જોતા ઈરાન સરકારના ફિશરી ડિપાર્ટમેન્ટમાં એડવાઈઝર તરીકે નોકરી કરનાર ડોક્ટર ઉદયશંકર શેઠી પોતાની નોકરી છોડીને વર્ષ 2010માં સુરત આવી ગયા હતા અને અહીં શૂન્ય થી શરૂઆત કરી હતી. તેઓ એક્વેટિક બાયોલોજી શ્રિમ્પ ફાર્મિંગમાં પીએચડી કરી ચૂક્યા છે. ગુજરાત સહિત અનેક જગ્યાએ ફાર્મિંગની એડવાઈઝરી કરે છે. મૂળ ઓરિસ્સાના વતની છે. પોતાના રિસર્ચ અને એડવાઈઝરીના કારણે તેમને ઉદયમ રત્ન સન્માન તેમજ ઓરિસ્સા ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ લીડર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહે છે .ગુજરાત અને ખાસ કરીને સુરત એ તેમને એક ખાસ ઓળખ આપી છે આ જ કારણ છે કે તેઓ પોતાની કર્મભૂમિ માટે કશું કરવા માંગતા હતા તેથીજ તેઓએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કોયલીબેલ ગામ ની પસંદગી કરી અને તેને દત્તક લીધું. ગામ માટે આટલું સારું કામ કરી રહ્યા છે કે ગામના લોકો તેમને ખૂબ જ આદર સન્માન આપે છે. તે પણ તેઓ ગામમાં જાય છે ત્યારે તેમનું ભવ્ય આદિવાસી પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવે છે. ગામની છોકરીઓ કળશ લઈને જ્યારે ગામના યુવાનો ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરતા હોય છે.