Published By:-Bhavika Sasiya
ભારત હંમેશા આવનારા દિવસો અંગે અને સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન કરે છે. તેથીજ ચિનની સરહદની કનેક્ટિવિટી વધારવા માટે ભારત ચીન સરહદ પર 7 નવી ટનલનુ આયોજન કરી રહ્યું છે.
ભારત-ચીન સરહદ પર સાત નવી ટનલ બનાવવાની યોજના કેન્દ્ર સરકાર બનાવી રહી છે. આ પહેલેથી જ પૂર્ણ થયેલી પાંચ ટનલ અને દસટનલ પ્રગતિમાં છે. કેન્દ્ર સરકાર આ વિસ્તારમાં રોડ કનેક્ટિવિટી વધારવા માટે ભારત-ચીન સરહદ પર સાત નવી ટનલ બનાવવાની યોજના બનાવી રહી છે, એમ સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના મંત્રીએ જણાવ્યું હતું કે,”છેલ્લાં ત્રણ વર્ષમાં, પાંચ ટનલનું નિર્માણ થઈ ગયું છે, દસ હાલમાં પ્રગતિમાં છે અને સાત આયોજનના તબક્કામાં છે.” મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માર્ગો સરહદ પર ઝડપી કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે.