નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના પ્રસંગે નર્મદા જિલ્લાના કોંગ્રેસ,ભાજપ,બીટીપી અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવાંનૉ કાર્યક્રમ હતો આ પ્રસંગે આદિવાસી સમાજના તમામ રાજકીય પક્ષોના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. બિટીપીના મુખ્ય સંયોજક છોટુ વસાવા,રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા,કોંગ્રેસના ધારાસભ્ય પી ડી વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ,બીજેપી નેતા મોતીસિંહ વસાવા તેમજ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા યુવા સહિતના આગેવાનો આજે એક મંચ પર જોવા મળ્યા હતા તમામ નેતાઓની ઉપસ્થિતિમાં તેમજ હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

આ પ્રસંગે છોટુભાઈ વસાવા એક એવી પણ ટિપ્પણી કરી હતી કે ત્રણ હજાર કરોડ રૂપિયાનું ફંડ અને સી એસ આર વપરાય તો બિરસા મુંડા ભગવાનની મૂર્તિ માટે 10 લાખ રૂપિયા જેવી રકમ પણ મદદ રૂપ થઈ વપરાઈ જોઈએ કારણ કે બિરસા મુંડા આદિવાસી સમાજના ભગવાન છે અને તેઓ એક પ્રેરણાદાયક છે ત્યારે આદિવાસી સમાજને તેઓમાંથી ખૂબ મોટી પ્રેરણા મળે તેમ છે થોડો વિવાદ થયો હતો અને નેશનલ હાઇવે ઓથોરિટીની પરમિશન ન મળી હતી જે બાબતે તેમને જણાવ્યું હતું કે ગેરકાયદેસર દબાણો રોડ પર હોય છે કે તેઓ હટાવતા નથી પરંતુ આવા સારા કામ થતાં તેમાં તેઓ અડચણો ઉભી કરે છે.
(ઇનપુટ : દિપક પટેલ, નર્મદા)