- પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરશે
- અમદાવાદ ખાતે ગરબે પણ ઘૂમશે પ્રિયંકા
કોંગ્રેસના અગ્રીમ હરોળના રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધી આગામી નવરાત્રી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરશે અને ત્યાર બાદ અમદાવાદ ખાતે ગરબામાં પણ ભાગ લેશે આજરોજ પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ આ માહિતી આપી હતી.
ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. કોંગ્રેસના ગાંધી પરિવારના પ્રિયંકા ગાંધીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પ્રિયંકા નવરાત્રી દરમિયાન ગુજરાત આવશે. તેઓનો કાર્યક્રમ હવે પછી નક્કી હશે પરંતુ તેઓ પહેલા પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરશે અને ત્યાર બાદ અમદાવાદ ખાતે એક દિવસ રાત્રી દરમિયાન ગરબે પણ ઘૂમશે. ગુજરાતની જનતાને રીઝવવા માટે હવે તમામ નેતાઓ નવરાત્રિને પોતાનું પ્લેટફોર્મ બનાવી વધુ ને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.