- બિસ્માર રસ્તા અંગે વાહન ચાલકો અને મોટી સંખ્યામાં સ્થાનીક લોકોએ ચક્કાજામ કર્યોં….
ભરુચથી દહેજ તરફ જવાના રસ્તા પર આજે તા 30 સપ્ટેમ્બરની વહેલી સવારે કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે વાહન ચાલકો અને સ્થાનીક રહેવાસીઓએ બિસ્માર રસ્તાના પગલે ચક્કા જામ વિરોધ કાર્યક્ર્મ કર્યો હતો.
આજે વહેલી સવારના સમયે ભરૂચ થી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કા જામ વિરોધ કાર્યક્ર્મ યોજાયો હતો. મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનીક રહીશો ચક્કા જામના સ્થળ પર ઉપસ્થીત થઈ ગયા હતા.દહેજ જીઆઇડીસીની વિવિઘ કપનીઓમાં પ્રથમ શિફ્ટનો સમય થતા નાઈટ શિફ્ટમાં ફરજ બજાવી પરત આવતા તેમજ પ્રથમ શિફટમાં ફરજ પર જતા કર્મચારીઓને લઈ જતી મોટી સંખ્યામા લક્ઝરી બસના ચાલકો તેમજ વિવિઘ કંપનીઓના કર્મચારીઓ પણ ચક્કા જામ કાર્યક્ર્મમાં જોડાયા હતા.

સાથે જ કેશરોલ તેમજ આજુબાજુના ગામોના રહીશો પણ આ ચક્કાજામમાં જોડાતા જોત જોતામાં વાહનોની કતારો ખડી થઈ ગઇ હતી. ભરૂચ ગ્રામ્ય પોલિસ પણ આંદોલનના સ્થળ પર પહોંચી ગઇ હતી. થોડા કલાકો અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે ટ્રાફિક યથાવત થયો હતો પરંતુ આ ચક્કા જામ આંદોલનના પગલે દહેજ જીઆઇડીસીમાં કંપનીઓના રેગ્યુલર શિડ્યુલ ખોરવાઈ ગયો હતો.
