Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeCricket1 ઓક્ટોબરથી બદલાશે ક્રિકેટના આ નિયમો, T20 વર્લ્ડ કપમાં પણ લાગુ થશે

1 ઓક્ટોબરથી બદલાશે ક્રિકેટના આ નિયમો, T20 વર્લ્ડ કપમાં પણ લાગુ થશે

  • લાળ પર કાયમી પ્રતિબંધ
  • બેટ્સમેનનો થઈ શકે છે ટાઈમ આઉટ

સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ICC મેન્સ ક્રિકેટ કમિટીએ MCCના 2017ના ક્રિકેટ નિયમોની ત્રીજી આવૃત્તિમાં રમવાની પરિસ્થિતિઓમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે. હવે ICC એ નિયમોની યાદી જાહેર કરી છે જે 1 ઓક્ટોબર 2022 થી બદલાવા જઈ રહી છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ નિયમોને મહિલા ક્રિકેટ કમિટિ સાથે પણ શેર કરવામાં આવ્યા છે, જેમણે ભલામણોનું સમર્થન કર્યું છે. નવા નિયમો 1 ઓક્ટોબર, 2022થી લાગુ થશે, આનો સીધો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને રમાનાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ પણ આ નવા નિયમોના આધારે રમાશે.

નવા નિયમો 1 ઓક્ટોબર, 2022થી લાગુ થશે, આનો સીધો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને રમાનાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ પણ આ નવા નિયમોના આધારે રમાશે.

આવો જાણીએ શું છે નવા નિયમો

1. બેટ્સમેન કેચ આઉટ થયા પછી, નવો બેટ્સમેન સ્ટ્રાઈક લેશે-

અત્યાર સુધી ક્રિકેટમાં નિયમ હતો કે જો બેટ્સમેન કેચ આઉટ થાય તે પહેલા સ્ટ્રાઈકર બીજા છેડે પહોંચી જાય તો નવા બેટ્સમેને આગામી બોલ પર સ્ટ્રાઈક લેવાની જરૂર ન હતી. તેના બદલે પહેલેથી જ ક્રિઝ પર બેટ્સમેન સ્ટ્રાઇક લેતા હતા. પરંતુ હવે નવા નિયમો અનુસાર, બંને બેટ્સમેનો ક્રોસ કરે કે ન કરે, પરંતુ માત્ર એક નવો બેટર સ્ટ્રાઈક પર આવશે.

2. લાળ પર કાયમી પ્રતિબંધ-

કોવિડ-19 રોગચાળા પહેલા ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ જ્યારે ક્રિકેટ તેના ફેલાવા પછી શરૂ થયું ત્યારે લાળ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે લાળ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

3. બેટ્સમેનનો થઈ શકે છે ટાઈમ આઉટ –

નવા નિયમો અનુસાર બેટ્સમેને ટેસ્ટ અને વનડેમાં બે મિનિટમાં સ્ટ્રાઈક લેવી પડશે. ત્યારે પ્રથમ બેટ્સમેનના આઉટ થયા પછી નવા ખેલાડીને ટેસ્ટ અને વનડેમાં ત્રણ મિનિટનો સમય મળતો હતો. આ સિવાય T-20માં બેટ્સમેન આઉટ થયા બાદ નવા બેટ્સમેને 90 સેકન્ડ પહેલા મેદાનમાં આવવું પડશે, જે નિષ્ફળ થવા પર હવે ફિલ્ડિંગ ટીમનો કેપ્ટન ટાઈમ આઉટ માટે અપીલ કરી શકે છે.

4. બોલ રમવાનો બેટ્સમેનનો અધિકાર-

જો બોલ 22 ગજ બારની બહાર પડે છે, તો બેટ અથવા બેટ્સમેનનો અમુક ભાગ પીચની અંદર હોવો જોઈએ. જો તે આ સ્થિતિમાંથી બહાર જાય છે, તો અમ્પાયર તેને ડેડ બોલ કહેશે. આ સિવાય કોઈપણ બોલ જે બેટ્સમેનને પીચ છોડવા માટે મજબૂર કરશે તેને નો-બોલ આપવામાં આવશે.

5. ડેડ બોલ –

ક્રિકેટના નવા નિયમો અનુસાર, જો બોલર બોલિંગ દરમિયાન કોઈ અયોગ્ય અને ઇરાદાપૂર્વકની હિલચાલ કરે છે, તો તેને અમ્પાયર દ્વારા ડેડ બોલ આપવામાં આવશે, આ ઉપરાંત બેટિંગ ટીમને 5 રનની પેનલ્ટી મળશે.

6. ડિલિવરી સ્ટ્રાઈડ-

જો કોઈ બોલર તેની ડિલિવરી સ્ટ્રાઈડમાં પ્રવેશતા પહેલા સ્ટ્રાઈકરને રનઆઉટ કરવાના પ્રયાસમાં બોલ ફેંકે છે, તો તે હવે ડેડ બોલ છે. આ એક અત્યંત દુર્લભ સેનારીયો છે, જેને અત્યાર સુધી નો બોલ કહેવામાં આવે છે.

7. વધારાના ફિલ્ડર –

T20ની જેમ હવે ODI ક્રિકેટમાં પણ જો ઓવર સમયસર પૂરી ન થાય તો ફિલ્ડિંગ ટીમે 30 ગજના સર્કલની અંદર એક વધારાનો ફિલ્ડર રાખવો પડશે. એશિયા કપ 2022 ની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન આપણે જોયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!