- આઠમ નિમિત્તે ભાતીગઢ મેળો પણ યોજાયો
અંકલેશ્વરના ગડખોલ ગામ સ્થિત શક્તિધામ મંદિર ખાતે આસો નવરાત્રિની આઠમ નિમિત્તે ભાતીગઢ મેળો યોજાયો.
કોરોના કાળના બે વર્ષ અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં આવેલા પૌરાણિક સિદ્ધેશ્વરી માતાના મંદિરે સાદગી પૂર્વક નવરાત્રીની આસો સુદ આઠમની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે કોરોના વાઇરસના કેસ નહિવત જણાતા સરકાર દ્વારા તમામ તહેવારોમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે ગડખોલ ગામમાં આવેલા પૌરાણિક સિદ્ધેશ્વરી માતાના મંદિરે ભાતીગળ મેળો યોજાશે આઠમ નિમિત્તે માતાજીના મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી પરંપરાગત ભાતીગઢ મેળા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

200 વર્ષ જૂના સિધ્ધેશ્વરી માતાના મંદિરે ભાતીગઢ મેળાનું વિશિષ્ટ મહત્વ છે પ્રાચીન સમયમાં ઋષિમુની કપિલ અને અન્ય ઋષિ દ્વારા કક્ષના પુત્રઓએ તપ કરી માતાને રીઝવ્યા હતા.અને લોક કલ્યાણ અર્થે માતાજીને અહી બિરાજમાન થવા જણાવતા તેઓ તેમની ભક્તિથી પ્રસન્ન થઇ બિરાજમાન થયા હતા. અષ્ટમીએ ચતુર્દશીએ અહી સ્નાન કરી માતાજીનું જે કોઈ પણ પૂજન અને દર્શન કરે છે તેમને ધન પુત્રની પ્રાપ્તિ થાય છે.નોમના દિવસે દેવીમાની સ્તુતિ કરી ઉપાસના કરી કુવારીકાઓને જમાડે તેને દોષ નષ્ટ થાય છે. સિધ્ધેશ્વરી માતાજીના મંદિર બાજુમાં 1989 ના વર્ષે વિશાળ શક્તિ ધામ મંદિર પણ બનાવામાં આવ્યું છે.જે મંદિરમાં માતાના નવ સ્વરૂપો ઉપરાંત 29 થી વધુ દેવી દેવતા અને સંતોની સ્થાપના કરવામાં આવી છે.આઠમ નિમિત્તે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
