ભરૂચ જિલ્લાના સિટી એરિયા માટેની આરોગ્ય સંજીવની જડિબુટ્ટી એટલે GVK EMRI ની કરુણા એમ્બ્યુલન્સ 1962. આ સેવાને આજ રોજ આખા ગુજરાતમાં 5 વર્ષ પૂર્ણ થયાં, અને આ 5 વર્ષ માં અબોલ અને બિનવરસી અને નિરાધાર પશુઓની નિઃશુલ્ક સારવાર કરી 9576 પશુ અને પક્ષીઓના અમૂલ્ય જીવ બચવામાં આવ્યા. તો આ નિમિતે ભરૂચ પશુ દવાખાને કરુણા એમ્બ્યુલન્સના વેટરનરી ર્ડો નીરવ પટેલ તથા પાયલોટ કલ્પેશ પટેલ અને પ્રોગ્રામ મેનેજર ડો રવિ રીંકે સાહેબ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી તથા 108 ના સુપરવાઇઝર ઈરફાન દિવાન તથા 108 સ્ટાફ અને તાલુકાના ગવરમેન્ટ ર્ડો સાથે રહીને 5 વર્ષ પુરા થયાની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-06-at-1.51.26-PM-1024x564.jpeg)
આ 5 વર્ષ દરમિયાન ભરૂચના સિટી વિસ્તારોમાં એનિમલ દીઠ
(1) કુતરા-7417 (2) ગાય-1003 (3) બિલાડી-444 (4) કબૂતર-361 (5) મોર-02 અને અન્ય પશુ અને પક્ષીઓની સેવા કરી હતી.
આ 5 વર્ષ દરમિયાન ભરૂચના સિટી વિસ્તારોમાં રોગ દીઠ
(1) એકસિડેન્ટ-1481 (2) ઘવાયેલ-1498 (3) ડોગ બાઈટ-533 (4) ડરમિટાઇસ-429 (5) લેમનેસ્-253 (6) ફેક્ચર-555. આ પ્રમાણે ઘણા કેસોમાં અબોલ પશુનો જીવ બચાવવામાં હર હંમેશ કાર્ય કરતી રહેશે.