- મેળા ગ્રાઉન્ડમાં કરાયા અંતિમ સંસ્કાર…
સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના આજે તેમના પૈતૃક ગામ સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવ પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમના પાર્થિવ શરીરને સૈફઈના મેળા ગ્રાઉન્ડમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. જ્યાં તેઓના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન અને રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત તેમની કેબિનેટના અનેક મંત્રી સામેલ થયા હતા.

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગતરોજ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેઓએ ૮૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. યુરિન ઈન્ફેક્શનના કારણે ૨૨ ઓગસ્ટના રોજ તેઓને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની હાલત વધુ લથડી હતી. તેથી તેઓને ૧ ઓકટોબરના આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિમાં સુધારો ન થતા તેઓને વેન્ટીલેટર પર સ્વીફ્ટ કરવામાં આવ્યા હતા.
મુલાયમ સિંહ યાદવ સતત ત્રણ વખત ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે કેન્દ્ર સરકારમાં રક્ષામંત્રી તરીકે પણ કાર્યકાળ નિભાવ્યો હતો. આ સિવાય આઝમગઢ અને સાંભલમાથી તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓને નેતાજી તરીકે પક્ષનાં કાર્યકરો ઓળખતા હતા.
મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બરનાં 1939 દિવસે સૈફઇમાં થયો હતો. વર્ષ 1989માં તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. મુલાયમસિંહ યાદવનો પુત્ર અખિલેશ યાદવ પણ UPના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે.