Published by : Vanshika Gor
અદાણી-હિંડનબર્ગ કેસ માં શુક્રવારે સુપ્રીમ કોર્ટ માં સુનાવણી યોજાઈ છે. દરમિયાન સોલિસીટર જનરલ એ કમેટીના સભ્યોના નામને લગતા સૂચન અંગે ન્યાયમૂર્તિને સીલબંધ કવર સોપ્યું છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના સૂચન ને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે અમને તમારા તરફથી સીલબંધ કવરને સ્વીકારશું નહીં. કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા દાખવવા ઈચ્છીએ છીએ.
આ સાથે જ સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સર્વોચ્ચ અદાલતના સિટિંગ ન્યાયમૂર્તિને કમિટીનો ભાગ બનાવવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કમિટીની નિમણૂકમાં સંપૂર્ણપણે પારદર્શિતા ઈચ્છીએ છીએ. આ સાથે જ એમ પણ કહ્યું છે કે અમે રોકાણકારો સાથે સંપૂર્ણ પારદર્શિતા રાખવા ઈચ્છીએ છીએ.