સુરતના પાલનપુર પાટિયા ખાતેના ATMમાં ટેક્નિકલ ખામી સર્જાતા 60 હજાર ઉપડી ગયા હતા જોકે 8 જણાએ રૂપિયા પરત કરી દીધા હતા જ્યારે 12 જણાએ કહ્યું કે, ‘અમે તો રૂપિયા વાપરી નાખ્યા છે.સુરત પાલનપુર પાટિયા ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી વધારે રૂપિયા નિકળતા બેંકના મેનેજરો દોડતા થઈ ગયા હતા. એટીએમમાં ટેક્નિકલ ખામીના કારણે 20થી વધુ લોકો દ્વારા વધુ રૂપિયા બહાર નીકળી ગયાનુ બેંક મેનેજરે જણાવ્યુ હતુ.બેન્ક ઓફ બરોડાના પાલનપુર પાટિયા ખાતેની બ્રાંચના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે એટીએમમાંથી વધારે રૂપિયા નીકળી રહ્યા હતા. એટીએમમાં રૂપિયાં કાઢવા જેટલી રકમ નાખી હોય તેેના કરતા વધારે રૂપિયા નિકળી રહ્યા હતા. આ રીતે BOBના એટીએમમાંથી 20 લોકો દ્વારા રૂપિયા ઉપાડાયા હતા. અંદાજે 60 હજાર આસપાસ આ રકમ હોવાની શક્યતા છે. બેન્કના અધિકારીઓને જાણ થતાની સાથે જ એટીએમ થોડા સમય માટે બંધ કરી દેવાયુ હતુ અને ટેક્નિકલ ખામીને સુધારીને ફરી એટીએમ શરૂ કરાયું હતુ.
બાદ બેન્ક દ્વારા 20 લોકોનો સંપર્ક કરતા 8 લોકોએ પરત કર્યા હતા અને અન્ય 12 લોકોએ કહ્યું હતુ કે, અમે રૂપિયા વાપરી નાંખ્યા છે. જોકે બેન્ક ઓફ બરોડાના એક અધિકારીએ જણાવ્યું હતુ કે, ‘જે લોકોએ રૂપિયા ઉપાડ્યા છે તેમના તેઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. 20માંથી 8 લોકો દ્વારા રૂપિયા પરત કરી દેવામાં આવ્યા છે. પરંતુ બાકીના લોકો દ્વારા રૂપિયા આપવામાં આવ્યા નથી. પહેલા તેમને સમજાવવામાં આવશે. તેમ છતાં રૂપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ બેન્ક દ્વારા તૈયારી શરૂ કરાઈ છે. આમ કેમ થયુ તેની વિગત જોતાં રૂ 100ની નોટના રેકમાં રૂ 500ની નોટ મુકી દીધી હતી એટીએમમાં 100, 500, 2000ની નોટો મુકવા માટે અલગ અલગ રેક એટલે કે બીન હોય છે. રૂપિયા ફિલઅપ વખતે ભૂલથી 100ની નોટના બીનની જગ્યાએ 500ની નોટનું અને 500ની નોટના બીનની જગ્યાએ 100નું બીન મુકાતા ખામી સર્જાઈ હતી તેથી આ સમસ્યા સર્જાઈ હતી.