Published by : Rana Kajal
બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સારીઝના છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. જોકે ટીમમાં ખાસ કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ સતત ખરાબ પરફોર્મન્સને કે.એલ રાહુલને માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા ખરાબ પરફોર્મન્સને કારણે કે. એલ રાહુલને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. આ અગાઉ તેને સીરીઝની પહેલા બે ટેસ્ટ મેચ માટે રાહુલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે છેલ્લી બે ટેસ્ટ મેચ માટે રાહુલને ટીમમાં રાખવામાં આવ્યો છે.
BCCIની છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે તેમા રોહિત શર્મા કેપ્ટન છે. જેમા હવે આ ટીમમાં કે. એલ રાહુલ માત્ર એક ખેલાડીના રુપે રહેશે. આવામાં એક વાત ફાઈનલ છે કે સતત ખરાબ પરફોર્મન્સને કારણે BCCIએ કે.એલ રાહુલ માટે આવો મોટો નિર્ણય કરવાની જરુર પડી. પરંતુ નવા વાઈસ કેપ્ટન કોણ હશે તે વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.