Published By : Parul Patel
- ✍️ ભરૂચ જિલ્લામાં પત્રકારત્વની મારી 30 વર્ષની યાત્રામાં મારાં અંગે શંકા કુશંકા કરનારાઓની શંકાઓ દૂર કરવાની તક આપનાર જૈમીનના વ્યાપારિક મિત્રોના આભાર સાથે આટલી મારી વાતો, સત્ય-તથ્ય અને હકીકત- પ્રસ્તુત…
યોગાનુયોગ, ઝગડીયાના ગેંગવોરનો મુદ્દો જૈમીનના વ્યાપારિક મિત્રોએ એમની પરના આક્ષેપો અને ગુન્હાની ગંભીરતાને ડાયવર્ટ કરવાની નિષફળ કોશિશમાં મારા રિપોર્ટિંગ પર પણ કેટલાક વ્યક્તિગત આક્ષેપ, શંકા-કુશંકા કરતા મારે મારા કર્તવ્યના ભાગ રૂપે એનો સ્પષ્ટ અને સચોટ જવાબ આપવાની જરૂર પડી છે. રાજકારણીઓનું જાહેર જીવન હોય છે, હું માનું છું, સ્વીકારું છું કે એક પત્રકાર કે સમાજસેવકનું પણ સમાજને સ્પર્શતું જાહેર જીવન જ ગણાય…વળી કોઈ આપણા કર્તવ્ય/કર્મ પર પ્રશ્ન ઉઠાવે, એ ધરાર ખોટો હોય, ખુદ ગુન્હાઓ, અપ કૃત્યો સાથે સંડોવાયેલો હોય ત્યારે તો એવા લોકોને એમની હેસિયત અને સ્થાન જો આપણે સાચા-સ્પષ્ટ હોઈએ તો બતાવવી જ જોઈએ…કહેવાતી PC માં મારા જ સહ્યાત્રી ચાર પાંચ પત્રકારોને હાથો બનાવી મીડિયા-મીડિયા ને અથાડવાનું તદ્દન નિષ્ફળ પ્રયાસ કરનાર કુલદીપ વઘાસિયા એન્ડ પાર્ટીના અગાઉ બે બ્લોગમાં મેં એમના દંભ-દુષ્પ્રચાર-ગુન્હાઓ-અપકર્મોનો અક્ષરસહ જવાબ આપ્યો છે, કોઈ વ્યક્તિગત શત્રુતા વિના. ઘણા મિત્રોએ કહ્યું કે આવાઓને શુ જવાબ આપવાનો?? ત્યારે મને 2005 ની મારી સામે જ આંદોલન કરનારાઓને યાદ કર્યા, ત્યારના ખૂંખાર યુદ્ધમાં પણ ચેનલ,અમે જીત્યા હતા…નો સંભળાય એવા શબ્દોથી બદનામી કરનારાઓને પણ અમે છેલ્લે કોર્ટમાં માફ કર્યા હતા. આ બીજો પ્રસંગ 30 વર્ષમાં છે, તો પ્રત્યુત્તર તો આપવો જ જોઈએ, હા આ લોકો 2005 જેવી તદ્દન હલકટ શબ્દાવલી પર નથી ઉતર્યા…પણ અણીયારો પ્રશ્ન જરૂર રમતો મુક્યો છે, જે મારી પ્રમાણિકતા, નિષ્ઠા, પત્રકારત્વ અને નિયતને પડકારે છે. અને મારી પ્રકૃતિ બચપનથી જ પડકારોનો પ્રતિકાર કરવાની છે. હું આજે છેલ્લા મુદ્દાનો જવાબ આપી, ગણેશજીને માથે રાખી, સત્યના પક્ષે રહેવાની પુરી કોશિશ કરીશ….✍️✍️
અમારો મુદ્દો – 5 : નરેશભાઇ ઠકકર જયોતિષ વિદ્યાના જાણકાર હોવાનું અમારે ધ્યાને આવ્યું છે. (હા, આ સનાતન સત્ય છે, હું 78-79થી જ્યોતિષનો અભ્યાસુ-વિદ્યાર્થી છું. જ્યોતિષ, એ મારી એક હોબી છે, રસનો વિષય છે -વ્યવસાય નહીં. આખું ભરૂચ આ જાણતું હશે, અને નહીં જાણતું હોય, તો હવે જાણશે…અનેક મોટા નેતાઓ અને માથાઓની કુંડળીઓ જોઇ છે અને એમાંના જ એક નેતાએ તને આ મુદ્દો આપ્યો છે, પોતાનું અંગત વેર વસૂલવા…બાકી તારે શુ લેવા દેવા ભાઈ જ્યોતિષ સાથે?? પણ એની કુંડલીના 12 સ્થાન, અને 9 ગ્રહો મેં જોયા છે અને હવે એના જ પાપ કર્મથી એનો રાજકિય અસ્ત થઈ રહ્યો છે…કુંડળી ચર્ચવી છે તો મોકલ જલ્દી??). જયોતિષ શાસ્ત્રમાં અત્યાર સુધીમાં એવી તે કેવી કમાણી કરી કે વૈભવી બંગલાના માલિક બની ગયાં તમે? (આનો જવાબ સ્પષ્ટ આપ્યો છે, મેં ક્યારેય જ્યોતિષને વ્યવસાય બનાવ્યો જ નથી, કારણ કે એ વિધાતાના વિધાનોને જાહેર કરવાનું શાસ્ત્ર છે, જે છેલ્લે જોનારાઓને જ દુઃખી કરે છે…હા શોખથી ક્યારેક ક્યારેક આજે પણ જોઈ લઉં છું. કુંડળી, પણ કોઈ ચાર્જ વિના, અને 1992માં પત્રકારત્વમાં આવ્યા પછી તો એ શોખ પણ છૂટી ગયો, એમાં એકગ્રતા અને સમર્પણ જોઈએ, જે ચેનલ શરૂ કર્યા પછી શક્ય જ નહતું. હા, કોમ્પ્યુટર પર જન્માક્ષરો ભરૂચમાં પેહલા મેં જ બનાવવાનું કામ કર્યું, તે પણ નહીં નફા, નહીં નુકસાનના ધોરણે…જે તું આજે પૂછે છે, એ મને 1992 માં ખબર હતી કે એમાં બંગલાના ના બને, અને ના બનાવાય…ઘર તો મારી પાસે બાપ દાદાનું હતું જ) જો જયોતિષમાં કમાયા કે પત્રકારત્વમાં? (હવે તને, બધાને જણાવું કે પત્રકારત્વમાં પણ આટલી કમાણી ના જ થાય…હું માત્ર એકલો ‘પત્રકાર’ નથી જ નથી…ભરૂચમાં કેબલ અને ઈન્ટરનેટ સર્વિસ 1996-97 થી આપતો વ્યવસાયિક છું, બિઝનેસમેન છું, પેહલા એક લિમિટેડ કમ્પની હતી, હવે પ્રા.લિમિટેડ…જે 1999 માં GTPL જેવી નેશનલ લેવલની કમ્પનીનો 60-40નો ટોપ લેવલનો JV જોઈન્ટ વેન્ચર કરનારો પાર્ટનર છું….હા આ પાર્ટનરશીપમાં એક નંબરના-વ્હાઇટના અમે 60% શેર વેચી કરોડો રૂપિયા કમાયા…ચોપડે બધું જ બોલે છે ભાઈ…હા, ના કોઈ રેતી-માટીની લિઝ છે, ના કોઈ કમિશન એજન્સી કે કોન્ટ્રાકટ..ના કોઈ રાજનીતિ) કરોડોમાં આળોટતા તમે કેવી રીતે થયાં (ઈશ્વરની, એટલે કે ગણેશ દાદાની કૃપા અને, ધરતી પરના ઈશ્વરની હરગીઝ નહીં, 25 વર્ષની સતત કઠણ મહેનતથી) તે પણ ભરૂચ જિલ્લાની જનતા જાણવા માટે ઉત્સુક છે (ભાઈ, ભરૂચની જનતા તો મને કાંઈ પૂછતી નથી, તારી પીઠ પાછળના મારા હિતશત્રુને ઈચ્છા હોય તો એ પણ પુરી કરી દઉં…કાયમી એમની ચિંતા-બળતરા વધે કે ઘટે..!! આગાઉ જણાવ્યું કે GTPL માંથી શેર વેચીને કમાયા, વારસાગત સાયખાની જમીન સંપદાનમાં જતાં મોટું વળતર આવ્યું…પછી દર મહિને મને વ્હાઇટની સેલરી લાખથી વધારે, ચેક થી મળે છે, મારા ઘરમાં અમે ચારેય લોકો મળી દર મહિને મહેનતના 5 લાખથી વધુ ચેકથી કમાઈએ છીએ…એક જ ઘરના અમે ચારેય જણા 30%નો ઇન્કમટેક્સ સ્લેબમાં ભરીએ છીએ, હિસાબ માંડી લેજો, નિયમિત બેસ્ટ ‘ટેક્સ પેયર’નું સર્ટી પણ છે મારી પાસે, તારી કે તારા જૈમીન પાસે, કે કોઈ પણ એના ભાગીદાર પાસે છે??) કોઇ પણ વેપારી માણસ ધંધો કરીને કમાતો હોય છે તો શું કોઈ ધંધો કરીને બંગલો ન બનાવી શકે એના માટે તમને પૂછવા આવવું પડે? (મેં ક્યારે લખ્યું કે મને કેમ ના પૂછ્યું?? બોલ તું જ તારા આક્ષેપનો જવાબ આપે છે, ધંધો કરીને કોઈ પણ બંગલો બનાવી શકે, મેં પણ બનાવ્યો…જૈમીન ક્યાં મને પૂછવા આવેલો?? આ તો ગુન્હો કર્યો અને બધું બહાર પડ્યું…અને ED જે IT થી ડરી, ઉશ્કેરાઈ કેમ ગયા?? મને તો ક્યારેય એનો ડર નહતો લાગ્યો? ના હજુ લાગે છે??) તમે જયોતિષ ભલે રહયાં પણ સાથે પત્રકાર પણ છો એ વાત તમારે ભૂલવી ન જોઇએ (આટલા જવાબો પછી, 3 બ્લોગ પછી તને લાગે છે કે હું કાંઈ ભુલ્યો હતો, કે હજુ ભૂલી જઈશ??) તમે માત્ર અને માત્ર એક તરફી સમાચારો અને બ્લોગ લખો છો જે ખોટું નથી(??) પણ જે પણ લખો તે નિષ્પક્ષ કે સાચું લાખો જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય. જો તમે નિષ્પક્ષ લખશો તો લોકો ને લાગશે કે તમે સાચા અર્થમાં પત્રકારત્વનો ધર્મ નિભાવી રહયાં છો અને લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત અને અડીખમ રાખવામાં તમારૂ યોગદાન આપી રહયાં છો…બાકી એક તરફથી લખાણ જ લખ્યાં કરશો તો તમે તમારી વિશ્વસનીયતા ગુમાવી રહયાં છો…(મારા ગુન્હાઓમાં સંડોવાયેલા મિત્રના મિત્ર, તારી કેટલી ગાડીઓ, ટ્રક 16 ટાયરની, 12 ટાયરની ક્યાં છે, શુ કરે છે, માટીચોરીના કામો કોણે ક્યાં, કેવા કર્યા છે?? DCM ની હિસ્ટ્રી શુ છે?? કોની પર દહેજથી ટ્રકભરીને માલ ચોરીનો ઇલજામ છે, કોના કેટલા રૂપિયા કોણે દબાવ્યા છે, કોણ કોની પત્નીથી કેમ ડરે છે, કોણ પોતાની ગાડીઓમાં કોને લઈને ભટકે છે…તમારી પીઠ પાછળના ખેલાડીઓ કોણ છે?? એ બધું ખાસ ધ્યાન આપો…મારુ જ્યોતિષી કરતા આવા ગુન્હેગરોના દુષકર્મોની ભલ ભલાની કુંડળી મારી પાસે છે, મારા પત્રકારત્વ, એની નિષ્પક્ષતા,’ધર્મ’ જેવા શબ્દો,ના તારા, ના તારી ટોળકી ના કોઈના મોંઢા પર શોભે છે…હું મારા એક એક બ્લોગ રીડર મિત્રોનો ઋણી છું, જે શ્રદ્ધા અને વિશ્વાસથી મારી મેહનતને વાંચે છે…લોકશાહીના ચોથા સ્તંભની વાત કે ચિંતા, ગુન્હેગરોના, બે નંબરીઓના મોઢે ના શોભે…ના એક રૂપિયાનો મેં ક્યારેય કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનો હપ્તો, હરામનો લીધો છે, ના લેવાનો છું…ના કોઈ બે નંબરી વ્યવસાયમાં પ્રત્યક્ષ કે પરોક્ષ 0.0001% પણ સંકળાયેલો નહતો, ના છું, ના રહીશ…જાહેરમાં ચેનલ પર જાહેરાતો એમને એમ નથી ચલાવી…મારી આત્મીય તાકાત અને ગણેશજીના આશીર્વાદથી હું અકબંધ છું, અને એની કૃપા હશે ત્યાં સુધી રહીશ…મેં મિત્રો ઓછા, અને સવિશેષ દુશ્મનોની રીતસરની ખેતી કરી છે, કારણકે પત્રકારત્વનું સત્ય બહુ આકરું, કડવું અને કિંમતી હોય છે…ઉપરવાળા અને મારી જાતના સતકર્મો, સદ્કર્મોના ભરોસે જ ચાલુ છું, હા જે પણ થોડા મિત્રો છે, બહુ મજબૂત અને બખ્તર-ઢાલ અને કવચ જેવા છે…અને હું એવા મિત્રોને સમર્પિત છું, અને મારા વ્યવસાયને પણ…
બ્લોગ રીડર્સ પાસે ક્ષમાપ્રાર્થના કે આ બ્લોગ મારે થોડો વ્યક્તિગત બનાવવો પડ્યો, હા જો આત્મકથા લખવાનો મોકો મળ્યો, તો બધું બહુ જાણવા-માણવાનું મળશે…
હવે હું કોઈ સારા, રસપ્રદ, જનહિત, ભરૂચના હિતના અને ન્યાયિક મુદ્દાઓ બ્લોગમાં લેવા ઇચ્છું છું, મારા મિત્રો મને આવા મુદ્દાઓ સજેસ્ટ જરૂર કરે. 🙏🙏🙏🙏