Published By : Parul Patel
- ✍️ આરોપી જૈમીનને બચાવવા, કહેવાતી PC કરનાર મિત્રોના ‘દંભ’નો શબ્દશઃ પર્દાફાશ…
- ✍️ છોટુભાઈના માથે દોષનો ટોપલો ઓઢાડનાર જૈમીનના ગોડફાધર જ છોટુભાઈ હોવાનું બહાર આવ્યું…?!!
- ✍️ જૈમીનના 4-4 પૈકી ત્રણ RMC પ્લાન્ટમાં તો છોટુભાઈના બે દીકરા જ ભાગીદાર??
ઝગડીયા GIDCની સમૃદ્ધિ અને વિકાસને જળોની જેમ ચીપકીને લોહીના બદલે રૂપીઓ ચૂસનારાઓ હવે આંતરિક દોષારોપણ અને ગુન્હાઓને છુપાવવા, ડાયવર્ટ કરવા દંભી ખેલ ખેલી રહ્યાનું ગંભીર સત્ય ધીરે ધીરે બહાર આવી રહ્યું છે, અને મીડિયાને આવા અઘટિત અને ગુન્હાહિત કૃત્યોમાં પરોક્ષ રીતે વાપરવાનો, દોષ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બેફામ બે નંબરી આવકથી છકી ગયેલાઓએ ધંધાની હરીફાઈના નામે ખુલેઆમ ગેંગવોર કરી, ધાક ધમકી જમાવી છે, ત્યારે કેટલાક દબાયેલા રહસ્યો આપો આપ બહાર આવ્યા છે. કથિત PCમાં છોટુભાઈના નામે ગુંડાગિરી, હપ્તાખોરીના આક્ષેપો કરનારને કાલે અંક:1 માં મુદ્દાસર જવાબો આપ્યા. પછી એક વધુ ભેદ ખુલતા જૈમીન જૂથના દંભનો પડદો ખુલ્યો છે.
મળતી પ્રાથમિક વિગતો મુજબ છોટુભાઈના બે દીકરાઓ જ જૈમીનના બે નંબરી વેપલામાં ભાગીદાર હોવાનું જણાયું છે. ઝગડીયાના કુલ 3 RMC પ્લાન્ટમાંથી, દધેડામાં કિશોર અને જૈમીન જ્યારે પેપ્સી કમ્પનીનો પ્લાન્ટ દિલીપ અને જૈમીનની ભાગીદારીથી ચાલે છે, ત્રીજો KLG કમ્પનીમાં કોઈ અધિકારી ‘નાટા’ની કૃપાથી જૈમીનનો પ્લાન્ટ ચાલે છે, ચોથો વાલીયામાં છે, જે રાજકિય ભાગીદારોના અને સ્થાનિકોના વિવાદમાં સપડાયો છે. આમ જૈમીનના ગોડફાધર જ છોટુભાઈ અને એમનું પરિવાર હોવાનું બહાર આવ્યું છે, જો આ ખોટું હોય તો કુલદીપ વઘાસિયા અને દિલીપ-કિશોર કે છોટુભાઈ જાહેર PC કરે, હા કદાચ કાયદાકીય પેપર્સ આ રાજકારણીઓ એ જાત બચાવવાના પણ કર્યા હોય, પણ પંથક તો આ બધું જાણે જ છે, હજુ ઝગડીયાનો નાયરા નો પેટ્રોલ પમ્પના ભાગીદારો પણ કોણ છે, એ જાણીને જનતા, મારા બ્લોગ રીડર્સ હતપ્રભ બની જશે…રાજકિય સ્થિતિ બદલાતા, જૈમીન એન્ડ પાર્ટીએ ગુરુઓ બદલ્યા, ભાજપનો હાથ પકડી વ્યાપાર જુદો કર્યો, બાકી છે તો બધા એજ ધંધા…આજના બ્લોગમાં બીજા ગેરમાર્ગે દોરતા 2 દંભી આક્ષેપોનો જવાબ આપીશ…
મુદ્દો -3 : છોટુભાઇ વસાવાના દીકરાઓ પાસે કયાં રાજયોમાં કેટલી જમીનો છે ? (એમના એક સમયના ભાગીદાર જૈમીનને ખબર જ હશે ને??) કયાં શહેરોમાં વૈભવી બંગલાઓ છે ? કેટલી વૈભવી ગાડીઓ છે ? આ તપાસ કરાવવામાં ભાજપના કેટલાક નાના-મોટા નેતાઓના હાથ કેમ કાંપી રહયાં છે ? (ભાજપ વાળા તમારી છત્રી જ તો છે, તમને પીઠબળ આપનાર કયા પક્ષના છે?? અને આ રાજકિય વ્યક્તિઓ, પક્ષોનો વિષય છે, મીડિયાનો નહીં તમને જેટલી માહિતી હોય તે અમને આપો, કોથળામાં પાંચશેરી કેમ ભાઈ,??) રજની વસાવા અને રાજુ વસાવા વાલિયા તાલુકામાં કેટલી સરકારી ગૌચર તથા પંચાયતની જમીનો પચાવી પાડી છે. તેની સરકાર કોઇ તપાસ કરાવશે ખરૂ? (તમારી પાસે કંઈપણ માહિતી હશે તો જ લખ્યું હશે ને?? તો મોકલો અમને, આપો એક બીજી સત્તાવાર PC કરીને એ બધું, છે તાકાત?? મારી વ્યક્તિગત ખાતરી-વચન છે, જો હું એ સાચા પુરાવાઓ લઈને લઢત ના ઉપાડું તો કહેજો ) સાંસદ મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે તો આ બાબતે કેમ બોલતાં નથી. છોટુ ભાઈ એ આપેલા કોઈ બલિદાન ના લીધે?(આનો જવાબ હું કેવી રીતે આપું?? મનસુખલાલ આપશે, અને તમારી પાસે હોય તો તમે બોલોને ભાઈ) છોટુભાઇ વસાવા અને તેમના મળતિયાઓએ (જેમાં તમારો જૈમીન પણ એક ભાગીદાર હતો, કે હજુ છે ??) આદિવાસી ગરીબોની જમીનો પચાવી પાડી છે તે બાબતે કેમ સાંસદ કોઇ ફોડ પાડતાં નથી? (મનસુખભાઇને મોબાઈલ કરી, રેકોર્ડિંગ કરી અમને મોકલજો, ચેનલ રિલે કરશે, અને કાલે જ આ સાંસદે જાહેરમાં જવાબ આપ્યો જ છે. તમારો મિત્ર આવો આક્ષેપ જાહેરમાં કરી, જવાબ માંગ સે??) જો આ ગરીબોને તેમની જમીન પાછી મળી જાય તો ઝઘડિયા વિધાનસભાની અડધી ગરીબી દુર થઇ જાય (કોની?? તમારી અમીરી નું શુ ?? પછી આ ગુંડાગિરી-બે નંબરી વેપલા બંધ કરી દેશો??) તેમ છે છતાં સાંસદ આ મામલે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. તો સાંસદને પણ આવી સદબુધ્ધિ કેમ આવતી નથી? (સદબુદ્ધિ બહુ મોટો શબ્દ છે, જે પેહલા ખુદમાં શોધો, તમે તમારા ટીમ લીડર જૈમીનને ગુન્હો કરતા પૂર્વે આવું પૂછ્યું હતું?? તમારા પરોક્ષ મદદગાર ભાજપીઓને??)
મુદ્દો – 4 : હવે આપડે વાત કરીશું નર્મદા ચેનલના ડીરેકટર નરેશ ઠકકરની જો તેઓ બીજાના બંગલાની વેલ્યુએશન કઢાવી શકતા હોય તો રજની વસાવા અને છોટુભાઇ એન્ડ કંપનીના મહેલોની તથા જમીન અને વાહનોનું વેલ્યુએશન કેમ કઢાવતાં નથી? (તું કરાવીને મને આપ, હું ચેનલમાં અચૂક લઈશ…અને મેં કોઈનું વેલ્યુએશન કરાવ્યું નથી, આસપાસના લોકો જ બોલે છે અને ખુદ બંગલો પણ સ્વંયમ બોલે છે, જૈમીનના મિત્રો, ટીકાકારો પણ…બધું જ સમયે સમયે માર્કેટમાં આવી ચૂક્યું છે, છોટુભાઈ અંગે પણ…મીડિયામાં, તમે નવા છો, અમે 96થી છીએ મિત્ર) તેમનું આ સમીકરણ અમને સમજાતું નથી કે તેઓ કોઇના માટે (કોના માટે, બોલોને નામ જોગ, કોનાથી ગભરાઓ છો ભાઈ કુલદીપ??) કોઇનું ભીનું સંકેલી રહયાં છે ? (શુ ભીનું છે જે સંકેલાઈ રહ્યું છે?? તમારા બધા ના ગુન્હા?? ફોડ પાડોને ભાઈ) કે તેમના પણ જિલ્લાના કોઇ મોટા માથાનું દબાણ છે? (જિલ્લામાં એવું મોટું માથું છે કોણ જેનું મારા પર દબાણ ચાલે? નામ આપજો તો મને પણ ખબર પડે,પાક્કું ) નરેશભાઇને કેહવા માંગુ છું કે જો તમે બીજાના સીસીટીવી ચેક કરવાનુ કેહતા હોવ તો ભાજપના કયાં નેતાની કયાં મીટીંગ થઇ તેની વિગતો માગે (હું માંગતો નથી, એ બધું તપાસવાનું કામ વહીવટી તંત્રનું-પોલીસનું છે) ત્યારે અમે તેમને હું નમ્રતાપૂર્વક (અરે વાહ,) કહું છું કે પોતાની જ ઓફિસના સીસીટીવી ચેક કરાવો. તારીખ 13મી જુલાઇના (હજુ હવે આવશે, હા જૂન જરૂર હશે!!) રોજ બપોરના 2 થી 4 ના ગાળામાં રજની વસાવા તેમની ઓફિસમાં કેમ આવ્યો હતો ? (નમ્રતા પૂર્વક મારો જવાબ ખુલલ્મ ખુલ્લા એ જ છે કે CCTVની જરૂર નથી મારે જોવાની, રજની એકવાર નહીં, બેવાર આવ્યો હતો, એક વાર FIR લઈને અને બીજીવાર ધવલની જામીન રિજેક્ટ થતા એના ચુકાદાની કોપી લઈ ને) નરેશભાઇ ઠકકરે ખેલદીલી પૂર્વક આ બેઠકનું સત્ય જાહેરમાં આવીને કહેવું જોઇએ (તો PCમાં જ બોલવવો હતો ને મિત્ર શુ પ્રોબ્લેમ થયો??) જેથી સમાજને પણ ખ્યાલ આવે કે એ બે કલાકમાં બંધ બારણે શું રંધાયું તે (અમારે તો જે રંધાય તે બધું પ્રજાને સમાચારો રૂપે પ્રજાને પીરસવાનું જ હોય છે) પણ જાહેર કરવું જોઇએ.(‘બંધ બારણાં’ ચેનલ નર્મદાના ક્યારેય રહેતા જ નથી, પ્રેસ-પોલીસના દ્વારે, ન્યાય માટે, દાદ ફરિયાદ માટે કોઈ પણ, ક્યારેય પણ આવી-જઇ શકે છે. રજની સદર ગંભીર ઘટનાનો ફરિયાદી છે, એની પર ઘાતકી હુમલો થયો છે, એનું ‘પ્રેસ’ મીડિયા પાસે જવું કોઈ પણ સંજોગોમાં શંકાસ્પદ હોઈ શકે જ નહીં, દાદ-ફરિયાદ અને મદદ માટે મારી ચેનલમાં સવારે 10 થી સાંજે સાત સુધીમાં ગરીબ-તવંગર, આરોપી-ફરિયાદીઓ, નેતાઓ, પ્રજા, ગ્રાહક, ઓપરેટર કે મારા ચેનલના 36 CCTV કેમેરામાં કોઈ ગુન્હો બને તો ફૂટેજ માટે તાલ-તપાસ માટે પોલીસવાળા સુધ્ધાં આવે છે અને જાય છે, અસંખ્ય વાર…ને આવતા જતા રહેશે જ, એ પણ ગેટ પર સિક્યુરિટી પર નોંધાવી ને…’રાંધવાનું’, સેટ કરવાનું તો ચૂપચાપ PC કરનારાઓએ જ હોય છે, યાદ તો છે ને કોણે કયા બિલ્ડર દ્વારા મને આ મામલે ‘સેટિંગનું’ કોના દ્વારા અને કેવું કહેણ મોકલ્યું હતું, તું જ હતો કે બીજો કોઈ ભાઈ ?? અને મેં શુ શણશણ તો જવાબ આપ્યો હતો?? પછી તો તું છેવટે હારી થાકીને તો મીડિયા પાસે PCના નામે મને ડરાવવા, ડિસ્ટર્બ કરવા જાહેરમાં આવ્યો ને?? જવાદે મિત્ર, હું કોઈ આડા-કાળા કામોમાં નથી પડ્યો, ના પડું છું, જેમને પણ જેટલો મારામાં વિશ્વાસ છે એટલોજ બહુ છે, મારા માટે મને સાચી અને સારી રીતે ઓળખનાર જ ‘મારા ‘છે, ને પૂરતા પણ છે, તમારા જેવા ગુન્હેગારો-આરોપીઓ જેવાઓની શંકાથી ના કોઈ ફર્ક પડે છે, ના કોઈના સર્ટિફિકેટની જરૂર છે. સત્ય સ્વયં પ્રકાશિત હોય છે. હું મારા આત્મા પાસે સ્પષ્ટ અને શુદ્ધ હોઉં, એજ મારા માટે સર્વસ્વ છે, મૂલ્યવાન છે, મારી સાચી અને સલામત કાયમી મૂડી છે.
છેલ્લો મુદ્દો મારા માટે ‘વ્યક્તિગત’છે, અને બહુ દિલથી સંપૂર્ણ સત્ય સાથે જવાબ આપવા લાયક છે, કારણકે મારી 30 વર્ષની પત્રકારત્વની યાત્રા પરનો, કારકિર્દીને લાગતો સંવેદનશીલ પ્રશ્ન-આક્ષેપ છે…આ બ્લોગ જ એટલો લાંબો થઈ ગયો છે, એનો જવાબ તો લખ્યો છે, પણ હવે બાકીનું છેલ્લું કાલે …અંક:3 માં…✍️✍️✍️✍️✍️✍️✍️