Published By : Parul Patel
- ✍️ જો રાજ્ય-કેન્દ્ર સરકારને આંદોલનના નામે ખોટી રીતે બાનમાં કોઈ પણ લેતું હોય તો વહીવટીતંત્રએ પણ કડક પગલાં ભરવા જ પડશે.
- ✍️ આજના “સંદેશ” અખબારના સત્યને ઉજાગર કરતાં રિપોર્ટિંગ સામે આંદોલન કારીયોના મોં કેમ સિવાય ગયા??
- ✍️ ખેડૂતોનો આજનો હક્ક કાલ પર ઠેલાવાનું કાવતરું એટલે આંદોલન?? ન્યાય મેળવવા માટે પણ ન્યાયિક લઢાઈ અને તાર્કિક મુદ્દા હોવા જ જોઈએ.
અંકલેશ્વર તાલુકાના દિવા, ઊંટીયાદરા, પુનગામ, ઘોડાદરા, જેવા ગણતરીના ચાર પાંચ જ ગામોના ગણતરીના ખેડૂતોની પ્રબળ લાગણી અને માંગણી છે કે જેટલું વળતર સંપાદનમાં ગયેલી જમીનોનું વલસાડ, નવસારી અને સુરતના ખેડૂતોને મળ્યું છે એટલીજ કિંમતનું વળતર અમને પણ મળવું જ જોઈએ…અને એટલું નહિ મળે તો અમે આંદોલન ચાલુ રાખીશું…આ માટે રાજકીય દાવપેચ પણ રમાયા અને હજુ રસ્તે ચાલતો માણસ પણ ‘હાથ શેકતો’ જાય છે…આંદોલન કરીને મોટા નેતા બની જવાના ટાર્ગેટ સાથે બે ચાર લોકોએ આ પ્રશ્નને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી યેન કેન પ્રકારેણ આદોલન જીવતું રાખવા મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. હા, આંદોલન કરવું, કોઈક વાત, અન્યાયનો વિરોધ કરવો, એ હક્ક છે પણ ન્યાય મેળવવા માટે પણ ન્યાયિક લઢાઈ અને તાર્કિક મુદ્દા તો હોવા જ જોઈએ..કેટલાક ખાનગી રાહે મળવા આવેલા ખેડૂતોના જ મત પ્રમાણે ખેડૂતોના વળતરના મુદ્દાને આજના નિરાકરણને કાલ પર ઠેલવાનું ષડયંત્ર હોય એવો સંદેહ વ્યક્ત કર્યો હતો…અને એના સંયોગિક પુરાવાઓ પણ માર્કેટમાં દેખાઈ રહ્યા છે. ખેડૂતો સત્ય વાતોને સમજતા ના હોય એવુ તો બને જ નહિ…80-90% જમીનોનું વળતરનો પ્રશ્ન ઉકેલાઈ ગયો ને ચૂકવણા થઇ ગયા પછી પણ ખેડૂતો ધાર્યા વળતર માટે આજે પણ એટલાજ ગુસ્સા-જુસ્સામાં છે…ગામમાં નાની મોટી મિટિંગો કરી… ભાવિ પગલાંની જાહેરાતો કરાઈ રહી છે…વહીવટી તંત્ર અને ખેડૂતોની વચ્ચે હવે તો ભાજપ થોડું સંતાઈ જતાં કોંગ્રેસ ખુલ્લે આમ મળે એટલો લાભ લેવા ઉછડી રહી છે…
આ વર્તમાન આંદોલનના મુદ્દે સંદેશ દૈનિકે આપેલો આખે આખો અહેવાલ સચોટ અને સળગતો છે, બેઉ પક્ષોના મંતવ્યો પણ મુક્યા છે…પણ એનો ખેડૂતો પાસે કોઈ ખાસ જવાબ નહિ હોય…આંદોલનની નિષ્ફળતાનો ભાર પહેલા રાજકારણીઓ અને પછી મીડિયા પર પણ નાખવામાં આવ્યો…જેવી જેની ગતિ, સોચ અને આવડત…મીડિયા માટે આ બધું સહજ છે, પણ સંદેશ જે કહે છે, લખે છે, એ ઘણું સમજવા, વિચારવા જેવું છે…
પિલુદ્રાની જંત્રી જે 42 થી ઊંચકીને 1400 કરવાની વાત છે એ તો હજુ એક જ દાખલો છે…સરકારી સંપાદનમાં જતી જમીનોમાંથી કરોડો કમાઈ લેવાની લ્હાવો કે લ્હાયમાં દલાલો ઊંચી જંત્રી લખાવડાવીને ખેડૂતોનું જ ધનોત પનોત કાઢી નાખવાના ખેલ કરી રહ્યા છે. એ સાચા ખેડૂતોને તો બહુ મોડી ખબર પડશે…હા, હમણાં તો કેન્દ્ર અને રાજ્ય સરકાર આવી રમતોના આંકડા બહાર આવતા રીતસરની ભડકી, અકળાઈ ગઈ છે, અને કડક જોગવાઈઓ કે કાયદા બનાવે તો પણ નવાઈ નહિ…આ એક મોટો વ્યાપાર બની ગયો છે જેમાં સ્થાનિક રાજકારણીયો અને ગાંધીનગરના હાકેમોની સીધી સંડોવણી દેખાઈ રહી છે…રાજકીય દબાણનું કે ઈમોશનલ બ્લેકમૈલિંગનું રાજકારણ બહુ ચાલતું નથી, કે નથી ચાલતું પોલું રાજકારણ ..કોઈનું પણ હોય…હજુ પેપર્સ માંગ્યા છે એ આવ્યા નથી આ જંત્રી કૌભાંડ ના…પછી ભલ-ભલા ખડભળી ઉઠશે…ઘણું બધું રંધાઈ રહ્યું છે કેન્દ્ર – રાજ્ય સરકાર કક્ષાએ…નવી પોલિસી માટે..કાયદા માટે…આંદોલનો ઘણું બધું શીખવે છે સરકારોને, આંદોલન કર્તાઓને …હકારાત્મક પણ અને નકારાત્મક પણ…જુવો દિલ્હીના રેસલર્સના આંદોલનની સ્થિતિ ને…એ પણ એક બધા માટે લેશન જ છે… 🙏🙏
ભરૂચના વહીવટી તંત્રને, મીડિયા અને પ્રજાને આ એક જ મુદ્દે ગજવતા આંદોલનનો અંત લાવવો તો પડશે જ, અને વિકાસની અટકેલી ગતિને પૂર્ણતા તરફ તો લઈ જ જવી પડશે…જે વિશાળ જનહિતમાં જ હશે, હોવી જોઈએ…અને એ માટે સ્થાનિક વહીવટીતંત્રએ, સ્વયં રાજ્ય, કેન્દ્ર સરકારે પણ થોડું કડક તો થવુંજ પડશે…