Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchBLOG: Naresh Thakkar, Bharuch...✍️ શું ભરૂચના સાંસદ મનસુખ ભાઈને પણ ખેડૂતોના આંદોલનના મામલે...

BLOG: Naresh Thakkar, Bharuch…✍️ શું ભરૂચના સાંસદ મનસુખ ભાઈને પણ ખેડૂતોના આંદોલનના મામલે હોળીનું નાળિયેર બનાવાયા..?

Published By : Parul Patel

  • ✍️પક્ષ/પાર્ટીની કડક સૂચના, કે ખેડૂતોની અવાસ્તવિક માંગણીથી દૂર જ રેહવું, તો ‘ભોળા’ સાંસદના ખભે બંદૂક કોણે મુકાવી??!!
  • ✍️ જ્યારે સંસદમાં ખેડૂતોની સંપાદનમાં જતી જમીનો માટેના કાયદાની કલમ 26 બની, ત્યારે કેમ મનસુખલાલ ઉભા થઇ, ના બોલ્યા કે ખેડૂતો જે માંગે તે, ‘સન્માનજનક’ ભાવ આપી દેવો..??
  • ✍️ શું ખેડૂતો સાચા જ હોય, તો ન્યાયલમાં ના જવું જોઈએ?? પણ ન્યાય લેવા જતાં ડેરોલની જેમ ઊંચા ભાવો નીચે પણ ઉતરી જાય તો??

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાઓ પૈકી હાંસોટ તાલુકાના 2-3 ગામડાઓની સંપાદનમાં જતી જમીનોની વેલ્યુએશનના મુદ્દે ઘણા ખેડૂતોએ નારાજગી, વિરોધ દર્શાવી આંદોલને ચઢ્યા છે, એમની સ્પષ્ટ માંગણી એવી છે કે, જે ભાવ વલસાડ, નવસારી અને સુરતના ખેડૂતોને જે મળ્યા એજ ભરૂચના આ 3-4 ગામોના ખેડૂતોને મળવા જ જોઈએ…કોઈ પ્રખર વકીલની જેમ દલીલો કરનાર ખેડૂતોને એમનું પ્રારંભમાં પીઠબળ બનેલા અને પછી ભાજપ પક્ષની કડક સૂચના અને કામમાં અક્ષમ્ય વિલંબના કારણે મોદીસહેબની લાલ આંખથી, જાહેરમાં હાથ તો આ નેતાઓએ પાછો ખેંચી લીધો, પણ ચર્ચાય છે કે પીઠ પાછળ ચેન-ચાળા, કે કહો રાજ રમત કરનારા નેતાઓએ ખેડૂતોને પણ રાજકિય રંગે તો રંગયાજ, પણ પોતાના પક્ષના જ નેતાઓને પણ લિટરલી ભેરવી દેવાના દાવો રમ્યા હોવાનું જાહેરમાં જોવા-જાણવા મડી રહ્યું છે…અને એમાં પરોક્ષ રીતે મીડિયાને પણ હાથો બનાવ્યાનુ બહાર આવ્યું છે…

ચેનલ નર્મદાના સમાચારો, બ્લોગ સામે ગણગણાટ અને વિરોધ કરનારાઓની હિંમત તો કોઈની દોરવણી કે ચઢામણીથી એટલી હદે પહોંચી કે ખેડૂત અગ્રણીઓ એવું પણ બોલતા થઈ ગયા હતા કે મીડિયા અમારી વિરોધી બન્યું છે, તો છાપાઓની તો હોળી કરીશુંની પણ ધમકીઓ અપાઈ…!!! હા, લક્ષમીની લાલસા કોને નથી હોતી?? કિસાન પણ એક માનવીજ તો છે…એને પણ હોય એ સ્વભાવિક છે,પણ બાકી બધા જ વ્યવસાયોમાં જો સહુથી સન્માનજનક કોઈ વ્યવસાય હોય, તો તે ધરતી પુત્રોનો જ છે, એ અન્નદાતા કહેવાય છે…પણ જ્યારે રાજકારણ એમાં ભળે છે ત્યારે એમાં પણ ધબ્બા, ન્યાયની પ્રાપ્તિ કે માંગણીમાં વિલંબ, વિવાદ અને વિખવાદ આવે જ એ સ્વભાવિક છે…આ આંદોલનમાં રાજકિય દાવપેચના સ્પષ્ટ ઈશારા અને થોડા પ્રાથમિક સંયોગિક પુરાવો મળતા, મેં બ્લોગ દ્વારા હિંમત ભેર સત્યનો પક્ષ લઈ, યોગ્ય રીતે ન્યાય માગવાના હક્કની તરફેણ તો કરી જ, પણ વ્યાજબી ભાવ અને વ્યાજબી રીતની પણ વાત કરી, તો ઘણાએ મન ફાવતી, ભાવતી ટીકાઓ કરી, હોંકારા પડકારો ,આક્ષેપો કર્યા…ટીકાની સાથે એક ઝુંબેશ પણ ચલાવી…અમારી મર્યાદા એ હતી કે, આ મુદ્દો એટલો ગહન અને અભ્યાસ માંગી લેતો હતો કે મારે, ના છૂટકે વહીવટી તંત્રને કેટલાક અણીયારા પ્રશ્નો પૂછવા પડ્યા, ઉપરાંત એક નિવૃત અને તટસ્થ IAS અધિકારી કે જે મેહેસૂલ-રેવન્યુના પ્રખર જ્ઞાતા હોઇ, એમનો મૈત્રીના નાતે મારે સહયોગ લેવો પડ્યો…અને આખા આ આંદોલનમાં અટવાયેલા પ્રશ્નોનું માર્ગદર્શન માંગ્યું…તો અસંખ્ય ચોંકાવનારી બાબતો ધ્યાને આવી..આ એક બહુ વિશદ મુદ્દો છે…10-12 બ્લોગ બને એટલો લાંબો પણ એટલું આ જમાનામાં વાંચે કોણ?? છાપાનું આખું પાનું ભરાઈ જાય એવો નિબંધ…એક વાર વિચાર્યું કે વહીવટી તંત્ર આ બધું માહિતી કે સત્ય શોધી શોધીને માહિતી વિભાગ દ્વારા છાપાઓમાં આપી આંદોલનનું સત્ય પ્રજા સમક્ષ કેમ મુકતું નથી, જે દુધનું દૂધ અને પાણીનું પાણી..અને સરકારના અબજો રૂપિયા પણ બચી જાય….પણ પછી થયું કે એમાં કોઈ મર્યાદા હશે તંત્રની, અને હું કોઈને વણમાંગી સલાહ કેમ આપું?? તો વળી એક તબક્કે તો આખો મુદ્દો વધારે કોઈ વિવાદમાં પડ્યા વિના ખેડૂતોના નસીબ પર છોડવા પણ વિચાર્યું, પણ માહલો પત્રકાર આત્મા ડંખ્યો કે સત્ય અને એમાંય જો કોઈનું રાજકારણ કોઈ ખેલ કરતું હોય તો, બહાર તો સત્ય ગમે તે ભોગે શોધીને વિશાળ જનહિતમાટે લાવવું જ જોઈએ…

એમાં પણ સત્ય માટે લડવા હમેશા તત્પર રહેતા મનસુખભાઇ વસાવા જ્યારે, આ મુદ્દામાં કુદયા, તો આશ્ચર્ય પણ થયું, નો ડાઉટ એમને પણ હક્ક અને એમની ફરજ તો ખરી જ ખરી એમાં પડવાની, અને એમનો એ સ્વભાવ પણ છે, પણ એમનો પણ ખેડૂતોના નામે કોઈ ઉપયોગ કરી ગયું હોય એવું ઘણા ને લાગ્યું હશે…વળી એમાંય કોંગ્રેસના બહુ ચર્ચિત અને કરોડો રૂપિયાના ભ્રસ્ટાચારના ગંભીર આરોપોમાં સપડાયેલા અને જેમની આખી રાજકિય કારકિર્દી ખતરામાં આવી ગઈ છે, કોંગ્રેસમાં કોઈ એમનો પડછાયો લેવા પણ ઝાઝું રાજી નથી, અને જેલ યાત્રામાંથી માન્ડ માન્ડ છૂટેલા, જેમનું રાજકારણ બધેથી લગભગ હમણાં તો પતી જ ગયું છે એવા, સંદીપસિંહ માંગરોલાએ, રાજકારણમાં અસ્તિત્વ-નામ ટકાવવા માટે પણ એકલા હાથે, એક પ્રેસ કોન્ફરન્સ કરી, અરે ઉન્ટીયાદરા જઈ 5-25 ખેડૂતોને સંબોધી આત્મ સંતોષ પણ લીધો…કલીપ વાયરલ પણ કરી, કરવી અને ખેડૂતોના આંદોલનના બુઝાતા દિપકનું અજવાળું ઉછીનું આંખોમાં ભરી ઉજળા દેખાવા કુદાવ્યું (એમની પ્રવૃત્તિ-વૃત્તિ પર એક અલગ વિગતવાર બ્લોગ કરીશું જ), ત્યારે તો ચોક્કસ થયું કે આ આંદોલન પાછળ ખેડૂતોના હિત-ફાયદા કરતાં નેતાઓના નફા નુકસાન…દોસ્તી-દુશ્મની કે હિસાબ કિતાબ પૂરો કરવાનો ખેલ તો ક્યાંક છે જ…!!!

આ મુદ્દે એક નિવૃત IAS અધિકારી સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે જમીન સંપાદનમાં જતી જમીનો માટે એક સમાન ભાવો કાયદામાં ક્યાંય નથી જ નથી…સાંસદમાં. મનસુખભાઇ વસાવાએ છેલ્લા ઇન્ટરવ્યૂમાં કંઈક એવું જણાવેલું કે જિલ્લાની તમામ જમીનોને સમાન ભાવો તેમજ વધુ ભાવો મળવા જોઈએ…તો જ્યારે નવો જમીન સંપાદન કાયદો લોકસભામાં બન્યો ત્યારે તેઓ સંસદમાં જ હતા, કાયદાની કલમ 26 સંસદે પાસ કરી ત્યારે આપણા આ કિસાન પ્રિય સાંસદે ઉભા થઇ કેમ રજુઆત ના કરી કે, ખેડૂતો જે ભાવ માંગે, તે ભાવો આપવા જોઈએ?? કેમ કોઈ કિંમત ને સન્માન જનક રકમ કહેવાય એની સ્પષ્ટ વ્યાખ્યા નક્કી ના કરાવી?? અત્યારે કાયદાથી બહારનું વળતર આપવા કિસાનો ની ફેવર કરનાર,ઇન્ટરવ્યૂ આપનાર આપણા સન્માનીય સાંસદશ્રી જે તે સમયે ક્યાં હતા?? અને ગડકરી સાહેબને સાંસદશ્રી રૂબરૂ મળ્યા નહતા?? કે એમણે મુલાકાત આપી નહતી…??

કાયદો બનાવનારાઓ પૈકીના એક હતા એવા આપણા સન્માનીય સાંસદ મનસુખભાઇ કયા આધારે અને કઈ કિંમત ને ‘સન્માનીય’ અને ઊંચી/યોગ્ય ગણે છે?? કેમ અને કેવી રીતે??કયા આધારે??? કોઈ ફોડ પાડશે??જે તે સમયે કલમ 26 નો કેમ મૌખિક કે લેખિત વિરોધ આપણા આ લોકપ્રિય,નિખાલસ,આખા બોલા અને સ્પષ્ટ વક્તાએવા સાંસદશ્રી એ ના કર્યો?? અરે,અત્યારે પણ આ આદિવાસી અને કિસાનો ના મસીહા ધારે તો ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર તરીકે ખાનગી બિલ લાવી શકે છે,લાવશે ખરા?? એક છેલ્લી તક પણ છે જ..તેઓ આવો કાયદો બનાવડાવી શકે છે, અને 2024 માં જો વર્તમાન પક્ષ ટિકિટ આપે કે ના આપે, તો પણ આવા બિલ લાવવાની લોકપ્રિયતાને આધારે એકલા હાથે,મોદી સાહેબ વિના પણ,જીતી જઈ શકે છે…

શુ માં.મનસુખલાલ એવો કાયદો બનાવડાવી શકે છે?? કે કોઈપણ વિસ્તારના 200-500 ખેડૂતો ટોળે વળી જે નક્કી કરે એ ભાવ સરકારે ખેડૂતોની એમની આંખના રતન જેવી જમીનની કિંમતો આપી દેવી જોઈએ,એમાં ભૂમાફિયાઓ-સંપાદન માફિયાઓ ભલે સુખી થતા હોય, તો થાય. પણ ખેડૂતો ને “સન્મામ જનક” કે ‘સંતોષ’ થાય એવા ભાવ તો વહીવટી તંત્ર કે જમીન લેનાર ઓથોરિટીએ આપવા જ પડસે,ભલે દેશનો વિકાસ થાય કે ના થાય,આંદોલનો કે અવ્યવસથા, વિરોધ ના થવા જોઈએ,બસ..!!!??? તો મનસુખભાઇ ને દેશ આખો “કિસાનોના મસીહા” તરીકે પણ આદિવાસીઓના ભગવાન સમાન આદરણીય બિરસા મુંડાજી ની જેમ જ પુંજસે…

વારંવાર એમના સહજ સ્વભાવ કહો કે ગુસ્સાના કારણે રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવનાર, સરકાર વિરોધી વિવાદસ્પદ નિવેદનો આપનાર,તું- તડાક કરી પક્ષને ક્ષોભ જનક સ્થિતિમાં મુકનાર અને મીડિયાની આંખે,છાપે,ચેનલે બોલતા રહેનાર આ નિખાલસ અને સરળ માણસને પીઠ પાછળ કોઈ ગેરમાર્ગે દોરીને એમનો ઉપયોગ કરી ગયું હોય એવી સ્પષ્ટ છાપ ઉભી થતાં આ મુદ્દો ચર્ચવાની જરૂર પડી..પેહલા આ આંદોલન કારીઓને લઈને માત્ર અંકલેશ્વરના ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખશ્રી જ ચાલતા હતા…અને તે પણ ત્યાં સુધી કે જ્યારે સમપાદનમાં જતી જમીનોના ભાવોના એવોર્ડ ચૂંટણી પૂર્વે જાહેર થયા ત્યારે આ બેઉ નેતાઓએ જ જાહેતમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વાહ વાહી મેળવી હતી,જે તાલુકાઓની જમીન ગઈ છે એમાં જબુંસર પણ હતું,છે જ્યાં જે તે સમયે કોંગ્રેસ નો ધારાસભ્ય હતો,એણે પણ, કે ખેડૂતોએ પણ વિરોધ કર્યો નહતો,આમોદ,જબુંસર,વાગરા એ પણ ખાસ કોઈ વિરોધ કર્યો જ નથી…એકસપ્રેસહાઇવેનું 80%થી વધુ કામ થઈ પણ ગયું, હવે સમય બદલાયો છે, ખેલ ખુલ્લા પડ્યા છે ને કેટલાક ખેડૂતોના નામે ચરી ખાનારાઓની માહિતી રાજ્ય, કેન્દ્ર સરકાર પાસે નામ ઠામ, યાદી સાથે પહોંચી છે, સરકાર સાવધ બની છે અને અવાસ્તવિક કે કહો માગણી મુજબના અને દુર્ગામી ખરાબ આર્થિક ભારણો ઉભા થવાની પાક્કી માહિતી કહો કે ગણિત,રાજ્ય અને કેન્દ્ર સરકારના ધ્યાને આવ્યું છે ત્યારે આ વિવાદમાં મનસુખલાલને વિવાદમાં લાવી, એક કાંકરે બે પક્ષી મારવાનો ખેલ રચાયો હોય તો એ અસંભવ નથી…આમ પણ ઘણા નેતાઓ ની આંખમાં માં.મનસુખલાલ ઘણા કારણોસર ખૂંચે છે, એમના સ્વભાવને કારણે પાર્ટી પણ મુંઝાઈ છે ત્યારે મનસુખભાઈ વસાવા એ બહુ જ સાવધ રેહવું જોઈએ…

એક યક્ષ પ્રશ્ન એક મિત્ર એ મને પૂછ્યું કે શું તમે જાણો છો કે આદિવાસી પટ્ટી માં 5-25 હેન્ડ પમ્પની માગણી લઈને પોતાની જ સરકારમાં ફિલ્ડિંગ ભરતા આ સાંસદ ને એમની સરકારે સંતોષયા નથી, તો સામે ચૈતર વસાવા ને 70-80 જેટલા હેન્ડ પમ્પ મંજૂર કરી આપ્યા છે…હું આ વાત સ્વીકારવા રાજી નહતો…અને જો આ સાચું હોય તો, ઈશારા ઘણા ગંભીર છે,સાંસદ માટે અને એમના ટેકેદારો માટે…

 શું ખેડૂતો નો આંદોલન,ન્યાય નો મુદ્દો કોર્ટ રાહે ના ઉકેલી શકાય?? હાઇકોર્ટ ના એક વકીલ માં.યાજ્ઞિક સાહેબ ની ઓડિયો કલીપ સાંભળી, થયું કે ખેડૂતો કેમ કોર્ટનો રસ્તો નથી પકડતા, વ્યાજ સાથે જો અધધ..રૂપિયા મળતા હોય તો?? તો એક ઉચ્ચ નિવૃત્ત મહેસુલી અધિકારીએ ઉદાહરણ સાથે કહ્યું કે ભાવ કોર્ટ ઘટાડી પણ શકે…ઘણા બધા ચોંકાવનારા સત્યો સાથે…એ મુદ્દો હવે પછીના બ્લોગ માં…
(ક્રમશ:)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!