Published by : Rana Kajal
- વાહનચાલકો અને ગૃહિણીઓને થશે ફાયદો…
કેન્દ્રીય કેબિનેટે ગેસની કિંમત નક્કી કરવા માટેની ફોર્મ્યુલામાં સુધારાને મંજૂરી આપી દેતાં હવે CNGની કિંમતમાં ઘટાડો થશે. એટલું જ નહી પરંતુ પાઈપ્ડ રાંધણ ગેસ પણ 10 ટકા સસ્તો થશે. કિંમત નિર્ધારણ કરવા અંગેની માહિતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આપી હતી. નવી ફોર્મ્યુલા આધારિત કિંમત નિર્ધારણ કરવામાં આવતા CNG આધારિત વાહનોના માલિકોને આર્થિક ફાયદો થશે. ખાસ કરીને રિક્ષા ચાલકો કે જેઓ રિક્ષા ચલાવી કુટુંબનું ગુજરાન કરે છે. તેમને ખુબ મોટી રાહત મળશે. સાથે જ ગૃહિણીઓના બજેટમાં પણ પાઇપ્ડ ગેસ 10 ટકા જેટલો સસ્તો થતાં ખુબ આર્થિક રાહત પહોંચશે એમ લાગી રહ્યું છે.