Wednesday, September 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeSportsDDCAનો નિર્ણય, પંતને સારવાર માટે મુંબઈ શિફ્ટ કરશે…

DDCAનો નિર્ણય, પંતને સારવાર માટે મુંબઈ શિફ્ટ કરશે…

Published by : Anu Shukla

ભારતનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત 30 ડિસેમ્બરના રોજ રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. રૂડકી પાસે કાર અકસ્માતમાં તેને ગંભીર ઈજા થઈ હતી. તેમની સારવાર દેહરાદૂનમાં ચાલી રહી છે, પરંતુ હવે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) એ મોટો નિર્ણય લીધો છે. DDCA પંતને સારવાર માટે મુંબઈ લઈ જશે. તે જ સમયે, લિગામેંટ ઇંજરીની પણ સારવાર કરવામાં આવશે.

DDCAના ડિરેક્ટરે શું કહ્યું?

DDCAના ડાયરેક્ટર શ્યામ શર્માએ કહ્યું- ક્રિકેટર ઋષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે. 30 ડિસેમ્બરે કાર અકસ્માત બાદ પંતની દેહરાદૂનની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બીસીસીઆઈએ માહિતી આપી હતી કે પંતના માથામાં બે કટ છે. તેના જમણા ઘૂંટણમાં લિગામેંટ ફાટી ગયું છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ઈજાઓ છે. પંતની હાલત હાલ ખતરાની બહાર છે, પરંતુ હવે બીસીસીઆઈ અને ડીડીસીએએ તેની સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો છે. એવી અટકળો ચાલી રહી છે કે BCCI આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પંતને જલદી ફિટ જોવા માંગે છે.

BCCI અને DDCA પંતની ઈજા પર નજર રાખી રહ્યા હતા

પંતના એમઆરઆઈ સ્કેન રિપોર્ટમાં કોઈ સમસ્યા નહોતી. દુર્ઘટના બાદ, BCCIએ DDCAને પંતના સતત સંપર્કમાં રહેવા અને તેની સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી હતી. DDCAના વડા શ્યામ શર્મા પોતે પંતને મળવા પહોંચ્યા હતા. આ સિવાય ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ પંતને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!