Published By : Parul Patel
સમગ્ર દેશમાં થતી GST ની ચોરી અટકાવવા માટે આગામી તા 16 મે થી બે મહિના માટે ખાસ અભિયાન ચલાવવામાં આવશે.
જીએસટીમાં ચોરી તેમજ થતા બોગસ બિલિંગને અટકાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે, જે અંગેનો નિર્ણય ગત 24 મી એપ્રિલના રોજ દિલ્હી ખાતે યોજાયેલી સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની યોજાયેલી ઉચ્ચ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ અભિયાનમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.બિઝનેસ ઇન્ટેલિજન્સ એન્ડ ફ્રોડ એનાલિટીક્સ (BIFA) અને એડવાન્સ એનાલિટીક્સ ઈન ઇન્ડીરેક્ટ ટેક્સિસ (ADVAIT) પોર્ટલ એનઆઇસી પ્રાઈમ પોર્ટલ તથા ઇ – વે એનાલિટીક્સ દ્વારા કરચોરોને શોધવા અંગે કાર્યવાહી કરવામાં આવશે. જે અંગેની મોનીટરીગ સમિતિમાં રાજયના ટેક્ષ કમિશ્નરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો બોગસ કરદાતા જણાશે તો તરતજ કડક કાર્યવાહી કરવામાં આવશે.