સરકાર LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોની સુવિધા માટે કડક પગલાં લેવા જઇ રહી છે ઘણીવાર ગ્રાહકો ફરિયાદ કરે છે કે તેમના ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ગેસનો જથ્થો 1 થી 2 કિલો ઓછો છે. આવી સ્થિતિમાં અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ ગ્રાહકો તેને શોધી શકતા નથી જેના કારણે ગેસ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી,પરંતુ હવે સરકારે આવા લોકોને પકડવા માટે કડક પગલું ભરવાનું નક્કી કર્યું છે. સરકાર હવે LPG સિલિન્ડરને QR કોડથી સજ્જ કરવા જઇ રહી છે.આ સાથે ગ્રાહકોને ઘણી સુવિધાઓ મળશે.
આ બાબતે માહિતી આપતાં કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યું છે કે હવે સરકાર ગેસની ચોરી રોકવા માટે એલપીજી સિલિન્ડરને Q R કોડથી સજ્જ કરવા જઇ રહી છે . તે કંઇક અંશે આધાર કાર્ડ જેવું હશે. આ Q R કોડ દ્રારા ગેસ સિલિન્ડરમાં હાજર ગેસને ટ્રેક કરવાનું ખૂબ જ સરળ બનશે.આ સાથે, જો કોઈ વ્યક્તિ ગેસ સિલિન્ડરમાં ગેસ ચોરી કરે છે,તો તેને ટ્રેક કરવું ખૂબ જ સરળ રહેશે.