Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdateNCP પ્રમુખ શરદ પવાર મુખ્યમંત્રી શિંદેને મળ્યા...

NCP પ્રમુખ શરદ પવાર મુખ્યમંત્રી શિંદેને મળ્યા…

Published by : Rana Kajal

શું મહારાષ્ટ્ર નું રાજકીય ચિત્ર ફરી બદલાશે…? મહાવિકાસ અઘાડી સરકારના પતન પછી આ પ્રથમ મુલાકાત અંગે જાત જાતની અટકળો તેજ બની…રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર તાજેતરમાં મુંબઈમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. સીએમ શિંદે અને શરદ પવારની આ મુલાકાત લગભગ અડધો કલાક ચાલી હતી. આ બેઠકે રાજકીય વર્તુળોમાં હોબાળો મચાવ્યો છે. ઍવી ચર્ચા પણ ચાલી રહી છે કે મહારાષ્ટ્રનાં રાજકારણમાં કોઇ નવાજૂની થાય તો નવાઇ નહીં…

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર 1 જૂન (ગુરુવાર)ના રોજ મુંબઈમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. પવાર સીએમ શિંદેના સત્તાવાર નિવાસ ‘વર્ષા બંગલા’ પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચાઓ આ મુલાકાતના પગલે શરૂ થઈ ગઈ છે
આ બેઠકે રાજકીય વર્તુળોમાં હોબાળો મચાવ્યો છે. આ પહેલા એપ્રિલમાં મહારાષ્ટ્રના વિપક્ષના નેતા અને એનસીપીના રાજ્ય પ્રમુખ અજિત પવારે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના નાયબ દેવેન્દ્ર ફડણવીસ સાથે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મુલાકાત કરી હતી. જૉકે શરદ પવારે કયા મુદ્દાઓ પર વાતચીત થઈ તે અંગે જણાવ્યું હતુંં. મુખ્યમંત્રી સાથેની આ બેઠક અંગે એનસીપી પ્રમુખે જણાવ્યું કે અડધો કલાક ચાલેલી આ બેઠકમાં તેમણે મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મ, થિયેટર અને કલાના ક્ષેત્રમાં કલાવંત, સમસ્યાઓ જાણવા અને ફિલ્મ, નાટક, લોક કલા, સાથે સંબંધિત સંગઠનોને આમંત્રિત કરવાની માંગ કરી. ચેનલ અને મનોરંજનના અન્ય માધ્યમો અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. જૉકે આ સીવાય પણ અન્ય રાજકીય બાબતો અંગે ચર્ચા થઈ હશે એવું મનાઈ રહ્યું છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!