Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdatePM મોદી મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે...

PM મોદી મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે…

Published by : Anu Shukla

  • કોન્ફરન્સમાં MSME,મહિલા સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ સહિત 6 વિષયો પર મહત્વપૂર્ણ ચર્ચા
  • આ પ્રકારની પહેલી કોન્ફરન્સ જૂન 2022માં ધર્મશાલામાં યોજાઈ હતી

વડાપ્રધાન મોદી આવતી કાલે અને 7 જાન્યુઆરીએ દિલ્હીમાં મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. પીએમ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કોન્ફરન્સમાં MSME,મહિલા સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ સહિત 6 વિષયો પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.

આ પ્રકારની પહેલી કોન્ફરન્સ જૂન 2022માં ધર્મશાલામાં મુખ્ય સચિવોની માટે યોજાઈ હતી. PMO ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, મુખ્ય સચિવો અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય અધિકારીઓ ભાગ લેશે. આ કોન્ફરન્સમાં સર્વસમાવેશી માનવ વિકાસ, વિકસિત ભારત, વિકાસ અને રોજગાર સહિતની સિદ્ધિ માટે આધારભૂત માળખું તૈયાર કરવામાં આવશે.

ભારત અને ફ્રાન્સ વચ્ચે આજે વ્યૂહાત્મક વાટાઘાટો

આજે, ભારત અને ફ્રાન્સ દિલ્હીમાં 36મી વ્યૂહાત્મક મંત્રણા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેમજ ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોન, ફ્રેન્ચ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!