Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation UpdateRSS ચીફ મોહન ભાગવતે કહ્યું મુસ્લિમોને અહીં ક્યાંય ડરવાની જરૂર નથી પરંતુ...

RSS ચીફ મોહન ભાગવતે કહ્યું મુસ્લિમોને અહીં ક્યાંય ડરવાની જરૂર નથી પરંતુ હિંદુ સમાજ એકમાત્ર એવો છે જે આક્રમક નથી…

Published by : Rana Kajal

RSSના ચીફ મોહન ભાગવતે કહ્યું કે, હિંદુ ધર્મ એ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા અને દરેકને પોતાનું માનવું અને ઇસ્લામને સાથે લેવાની વૃત્તિ છે અને દેશમાં ઈસ્લામને કોઈ ખતરો નથી પરંતુ તેમણે ‘આપણે મોટા છીએ’ ની લાગણી છોડવી પડશે. એ ઈન્ટરવ્યુ દરમિયાન સરસંઘચાલક ભાગવતે પણ LGBT સમુદાયને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેમની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ અને સંઘ આ વિચારને પ્રોત્સાહિત કરશે. તેમણે કહ્યું કે, જ્યારેથી મનુષ્ય અસ્તિત્વ ધરાવે છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને તેની ગોપનીયતાનો અધિકાર મળે અને તેમને પણ એવો અનુભવ થાય કે, તેઓ પણ આ સમાજનો ભાગ છે.

મોહન ભાગવતે કહ્યું કે ટ્રાન્સજેન્ડર સમસ્યા નથી. તેમનો પોતાનો સંપ્રદાય છે, તેમના પોતાના દેવી-દેવતાઓ છે. હવે તેમની પાસે મહામંડલેશ્વર છે. તેમણે કહ્યું કે, સંઘનો કોઈ અલગ દૃષ્ટિકોણ નથી. હિન્દુ પરંપરાએ આ બાબતો પર વિચાર કર્યો છે. ભાગવતે કહ્યું કે હિંદુ આપણી ઓળખ છે, રાષ્ટ્રીયતા છે અને દરેકને પોતાના માનવા અને સાથે લઈ જવાની વૃત્તિ છે. સરસંઘચાલે કહ્યું કે, હિંદુસ્તાન એ હિંદુસ્તાન બની રહે સીધી વાત છે. તેનાથી આજે ભારતમાં જે મુસ્લિમો છે તેમને કોઈ નુકસાન નથી. તેમણે કહ્યું કે, ઈસ્લામને કોઈ ખતરો નથી પરંતુ અમે મોટા છીએ, અમે એક સમયે રાજા હતા, અમે ફરીથી રાજા બનીએ. આ ભાલ છોડવો પડશે. આ સાથે જ ભાગવતે કહ્યું કે, જો કોઈ હિંદુ આવું વિચારે છે તો તેણે પણ આ ભાવના છોડવી પડશે. કમ્યુનિસ્ટ છે તેમણે પણ આ ભાવના છોડવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!