Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy GujaratSOU : પ્રધાનમંત્રી 23 સપ્ટેમ્બરે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન...

SOU : પ્રધાનમંત્રી 23 સપ્ટેમ્બરે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

  • કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટ, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર પરિષદ
  • કેવડિયા એકતાનગર ખાતે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને સભાને PM સંબોધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.23 મી સપ્ટેમ્બરના રોજ સવારે 10.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના એકતાનગર SOU ખાતે આયોજીત પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારતા, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સુમેળ બનાવવા માટે પરિષદ બોલાવવામાં આવી રહી છે. જેમાં બહુપક્ષીય અભિગમ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવા, લાઇફ-પર્યાવરણ માટે જીવનશૈલી પર જેવા મુદ્દાઓ પર વધુ સારી નીતિઓ ઘડવામાં આવી રહી છે. તે ક્ષીણ થયેલી જમીનની પુનઃસ્થાપના અને વન્યજીવ સંરક્ષણ પર વિશેષ ભાર સાથે વન કવર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

SOU એકતાનગર ખાતે 23 અને 24મી સપ્ટેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કોન્ફરન્સમાં 6 વિષયવાર સત્રો હશે, જેમાં લાઇફ, કોમ્બેટિંગ ક્લાઈમેટ ચેન્જ પરિવેશ (એકટીગ્રેટેડ ગ્રીન ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ); ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ; પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ; વન્યજીવન વ્યવસ્થાપન; પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ (ઉત્સર્જનના ઘટાડા માટે ક્લાઈમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન અપડેટ કરવા અને ક્લાઈમેટ ઈમ્પેક્ટ્સ માટે અનુકૂલન) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!